બાળકને નાસ્તામાં બ્રેડ જામ આપતા માતાપિતા ચેતી જજો, સાઈડ ઈફેક્ટ જાણીને હોશ ઉડી જશે!
બાળકને નાસ્તામાં બ્રેડ જામ આપતા માતાપિતા ચેતી જજો, સાઈડ ઈફેક્ટ જાણીને હોશ ઉડી જશે!
મોટાભાગે એ જોવામાં આવે છે કે શાળાએ જતા બાળકોને નાસ્તામાં બ્રેડ અને જામ આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે સમય બચાવવા માટે આપવામાં આવતો આ નાસ્તો બાળકો માટે કેટલો હાનીકારક છે? સરળતાથી તૈયાર થતા બ્રેડ જામનું ચલણ ભારતીય પરિવારોમાં વધતુ જાય છે. જો તમને એનાથી થતા નુકસાનનો અંદાજ આવશે તો તમે તમારા બાળકને બ્રેડ જામ આપવાનું બંધ જ કરી દેશો! ટીવી એડમાં દર્શાવાતો હેલ્દી જામ વાસ્તવમાં કેટલો હાનિકારક છે એ પણ જાણવા જેવુ છે. જે તમને આજે અમે જણાવીશું.
કોઈપણ પ્રકારના પોષકતત્વો હોતા નથી
ઘણા બધા એવુ માને છે કે જામ ફળોમાંથી બનાવવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે જામ બનાવવા માટે ફળોને પાણીમાં ઉકાળવામાં આવે છે. જેના કારણે તેમાં પાણીની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે. આ સિવાય ફળોમાં હાજર પોષક તત્વોનો નાશ થાય છે. વિટામિન સી ધરાવતા ફળોમાંથી જામ બનાવતી વખતે વીટામીન સી સંપૂર્ણ નાશ પામે છે.
એચ ચમચી જામ અને 2 ચમચી ખાંડ
જામને જરૂરત કરતા વધુ ગળ્યો બનાવાય છે. જેની બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ પડે છે. બાળકોને જામ ખાવાનું વધારે પસંદ હોય છે. જેના કારણે તે રોજ ખાવાનુંં શરૂ કરે છે. એક ચમચી જામ 2 ચમચી ખાંડ બરાબર છે. નિયમિત જામ ખાવાથી બાળકોમાં મોટાપા અને હૃદય સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી છે. જામ ખાવાથી જરૂરત કરતા વધારે કેલરી જમા થાય છે.
ખાંડનો વધારે પડતો ઉપયોગ
માત્ર જામ જ નહીં પરતુ કેચઅપ અને અન્ય એવા પદાર્થોમાં કૃત્રિમ મિઠાશ વાળા પદાર્થોનો મોટી માત્રામાં ઉપયોગ થાય છે. આવા પદાર્થો વધારે ખાવાથી ભુખ પર અસર થાય છે. મગજ સુધી પેટ ભરાયેલુ હોવાનો ખોટો સંદેશ જાય છે. જેના કારણે બાળકો ખાવામાં આનાકાની કરે છે.
મોટાપાનો ખતરો
જે બાળકો નિયમિતપણે જામનો ઉપયોગ કરે છે તેવા બાળકોમાં મેદસ્વીપણા અને હૃદયરોગનું જોખમ વધારે રહે છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે જામના સ્વરૂપમાં વધારે કેલેરીનું સેવન કરે છે.
પપ્પા મારી ફિલ્મોની સ્ક્રીપ્ટ પર વિશ્વાસ નથી કરતા, તે કહેતા હતા ફિલ્મ ફ્લોપ થશેઃ સલમાન ખાન