મેન્ટલિસ્ટ કેવી રીતે જાણે છે તમારા મનની વાત? જાણો Mind Reading tricks
Mind Reading : માઇન્ડ રિડિંગ એક એવી ટેકનિક છે, જેમાં કોઈપણ ભૌતિક સાધનો વગર, તમે સામેની વ્યક્તિના મનની વાત જાણી શકો છો. આ સંપૂર્ણપણે માઇન્ડની ગેમ છે. આમાં કેટલીક એવી યુક્તિઓ છે, જેનો ઉપયોગ માનસિક નિષ્ણાતો કરે છે.
Mind Reading tricks : વર્તમાન સમયે સમાચાર અને સોશિયલ મીડિયામાં માઇન્ડ રિડિંગ અને ચમત્કારનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. તમે ઘણા માઇન્ડ રિડરને જોય હશે, જેઓ સામેવાળાની મનની વાત જાણી શકે છે. આ જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે.
આવા સમયે કથિત રીતે આવી કલાના કારણે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ કળા મારફતે લોકોના મનની વાત જાણે છે. જે કારણે તેઓ સતત હેડલાઇન્સમાં રહે છે. આવા સમયે આપણે માઇન્ડ રિડિંગ શું છે, તે વિશે જાણવું જોઇએ. મેન્ટલિસ્ટ માઇન્ડ રિડિંગ કેવી રીતે કરે છે તે જાણો.
Mind Reading એટલે શું?
Mind Reading એક એવી ટેક્નિક છે, જેમાં કોઈપણ ભૌતિક સાધનો વિના તમે સામેની વ્યક્તિનું મનની વાત જાણી શકો છો. MindReading સંપૂર્ણપણે મનની રમત છે. જેમાં કેટલીક એવી યુક્તિઓ છે, જેનો ઉપયોગ માનસિક નિષ્ણાતો કરે છે અને તેઓ તેની સામેનીવ્યક્તિના મનની વાત કહી દે છે. Mind Reading વ્યક્તિને ચમત્કાર જેવું લાગે છે અને તેની મેન્ટલિસ્ટ પ્રત્યેની શ્રદ્ધા વધે છે.
કેવી રીતે થાય છે Mind Reading?
જેઓ મનોવિજ્ઞાન જાણે છે, તેઓ જાણી શકે છે કે વ્યક્તિના મનમાં શું છે. તે હાથ અને પગની હિલચાલ, ચહેરાના હાવભાવ, કપડાં અનેબેસવાની મુદ્રાને અનુસરે છે. આ ટ્રીકથી તેમને ખબર પડી જશે કે, તમારા મનમાં શું ચાલી રહ્યું છે.
તમને આવા તાંત્રિકો કે બાબાઓ પણમળી જશે, જેમણે મનોવિજ્ઞાનની ડિગ્રી મેળવી નથી, પરંતુ તેમ છતાં તેઓ મનની વાતો જાણે છે. આ જ યુક્તિ ત્યાં પણ કામ કરે છે.
Mind Reading કરવાની રીત
કાર્લ હ્યુમની સિંક્રનાઇઝેશનની વિભાવના મુજબ, દરેક વ્યક્તિનું મગજ બીજા સાથે એક અથવા બીજી રીતે જોડાયેલું છે. જ્યારે કોઈ વ્યક્તિખૂબ જ શાંત ચિત્તે તમારા મનની વાત જાણવાનો પ્રયાસ કરે છે, ત્યારે અમુક હદ સુધી તમારું મન તેને સંકેત આપે છે. આ સંકેતો સામેનીવ્યક્તિ માટે લાગણી જેવું થવા લાગે છે અને તે તમારા મનને યોગ્ય રીતે ઓળખે છે.
જો તમે કોઇને પ્રેમ કરો છો, અને તે તમારાથી દૂર છે. તેમ છતા, જો તે મુશ્કેલીમાં આવી જાય છે, તો તમારી અંદર એક ગભરાટ આવી છે.તમને જાણ થઇ જાય છે કે, તે મુશ્કેલીમાં છે. આવું ઘણીવાર માતા સાથે થાય છે. તેઓ તેમના બાળકોની સમસ્યાઓ વિશે જાણી લે છે.