How To : ખોટા નંબર પર રિચાર્જ થઇ ગયું છે? આ રીતે મળશે રિફંડ
How To : આવું ઘણીવાર બને છે કે, જ્યારે તમે તમારા માટે અથવા પરિવારના કોઈ સભ્ય માટે રિચાર્જ કરી રહ્યાં હોવ અને ખોટા નંબરને કારણે તે બીજા નંબર પર રિચાર્જ થઇ જાય ત્યારે તમને લાગે છે કે, તમારા પૈસા વેડફાઇ ગયા છે. જોકે, હવે એવું નથી, આ અહેવાલમાં જાણીશું કે, ખોટા નંબર પર રિચાર્જ થઇ જાય તો તમને કેવી રીતે પૈસા પરત મેળવી શકશો.
શું તમે જાણો છો, જો તમે ભૂલથી બીજા સ્માર્ટફોન માટે રિચાર્જ કરી દો છો, તો તમે સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર છો? તમે તમારા પૈસા યોગ્ય રીતે પાછા મેળવી શકો છો. જે સ્માર્ટફોન યુઝર માટે ભૂલથી રિચાર્જ થઈ ગયું છે, તેના પૈસા પાછા મેળવવા માટે ફરિયાદ પણ નોંધાવી શકાય છે.

આ રીતે મળશે રિફંડ ? - જો ભૂલથી તમે બીજા સ્માર્ટફોન માટે રિચાર્જ કરી લીધું છે, તો તમારે આ માટે ટેલિકોમ ઓપરેટરની મદદ લેવી પડશે.
તમે જે ટેલિકોમ કંપનીનું સિમ વાપરી રહ્યા છો, તેના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને તમે મદદ લઈ શકો છો. Jio, Vodafone Idea અને Airtelની મદદ મેળવવા માટે, તમે ત્રણેય ટેલિકોમ કંપનીઓના કસ્ટમર કેર ઈમેલ આઈડીની મદદ લઈ શકો છો.
VI - [email protected]
એરટેલ - [email protected],
JIO - [email protected]
અત્રે ઉલ્લેખનીય છે કે, રિચાર્જ સંબંધિત તમામ માહિતી કસ્ટમર કેર ઓફિસરને આપ્યા બાદ તેમની ચકાસણી કરવામાં આવશે. આ પછી જ રિફંડની પ્રક્રિયા આગળ વધશે.
જો તમે કસ્ટમર કેર ઓફિસર સાથે વાત કરી છે અને તેમ છતાં પૈસા પાછા મેળવવામાં લાંબો વિલંબ થાય છે, તો તમે તેના વિશે પણ ફરિયાદ કરી શકો છો. ગ્રાહક ફોરમ પર ફરિયાદ કરી શકાય છે.
તમે કન્ઝ્યુમર ફોરમની કસ્ટમર સર્વિસ એપ ડાઉનલોડ કરી શકો છો. એપ પર ફરિયાદ નોંધાવવા માટે જરૂરી માહિતી અને દસ્તાવેજો શેર કરવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમે જે નંબર માટે ભૂલથી રિચાર્જ કરાવ્યું છે, તે તમારા નંબર જેવો જ હોવો જોઈએ.












Click it and Unblock the Notifications
