Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Awas Yojana: તમારે ઘરનું ઘર લેવું છે? આ રીતે લો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

PM Awas Yojana: કેન્દ્ર સરકાર દ્વારા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, દેશના દરેક નાગરિક પાસે પોતાનું ઘર હોય. જેને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય દેશના તમામ લોકોને પરવડે તેવા આવાસ આપવાનો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, આર્થિક રીતે નબળા વર્ગ, ઓછી આવક જૂથ અને મધ્યમ આવક જૂથના પરિવારોને મકાન બનાવવા અથવા ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર એવા લોકોને ઘર આપે છે કે, જેમની પાસે કાયમી મકાન નથી અથવા મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, છેલ્લા 10 વર્ષમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. જો તમારી પાસે હજુ સુધી કાયમી ઘર નથી, તો તમે PMAY યોજનાનો લાભ લઈ શકો છો.

આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે યોગ્યતાની શરતો શું છે, અને તમે તેના માટે કેવી રીતે અરજી કરી શકો છો?

Pradhan Mantri Awas Yojana

પ્રધાનમંત્રી આવાસ યોજના બે પ્રકારની છે

  • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી

પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની લાયકાતની શરતો

  • આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી ફરજિયાત છે.
  • અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે.
  • 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્ર બનવા માટે, અરજદાર પાસે ભારતના કોઈપણ ભાગમાં કાયમી ઘર ન હોવું જોઈએ.
  • જો પરિવારમાં કોઈને સરકારી નોકરી હોય, તો તેને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નહીં મળે.
  • EWS શ્રેણીમાં આવતા લોકોની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો - PMAY યોજના કચ્છમાં રહેતા લોકોને કાયમી મકાનો મેળવવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ પાસે જમીન હોય, તો તે કાયમી ઘર બનાવવા માટે આ યોજના દ્વારા આર્થિક મદદ પણ લઈ શકે છે.

આ યોજના હેઠળ સરકાર હોમ લોન પર સબસિડી આપે છે. સબસિડીની રકમ ઘરના કદ અને આવક પર આધારિત છે. આ યોજના હેઠળ, બેંકોને ઓછા વ્યાજ દરે હોમ લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન માટે મહત્તમ ચુકવણીની અવધિ 20 વર્ષ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ઓળખ કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • આવકનો પુરાવો
  • મિલકત દસ્તાવેજો

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કેવી રીતે અરજી કરવી? - તમે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમ માટે ઓનલાઇન અથવા ઓફલાઇન કોઈપણ પદ્ધતિ દ્વારા અરજી કરી શકો છો. ઓફલાઇન અરજી કરવા માટે, તમારે તમારા નજીકના સામાન્ય સેવા કેન્દ્ર પર જવું પડશે.

આવા સમયે ઓનલાઈન અરજી કરવા માટે, વ્યક્તિએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે, નીચે આપેલા સ્ટેપ અનુસરો

સ્ટેપ 1: સૌ પ્રથમ PMAY ની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર જાઓ.

સ્ટેપ 2: મુખ્ય પૃષ્ઠ પર Citizen Assessment વિકલ્પ પર ક્લિક કરો અને ડ્રોપ-ડાઉન મેનૂમાંથી PMAY Apply Online પસંદ કરો. અહીં તમને ચાર વિકલ્પો જોવા મળશે. તમારી જરૂરિયાત મુજબ કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 3: જે બાદ તમને આધાર નંબર અને નામ પૂછવામાં આવશે. બધી જરૂરી વિગતો ભર્યા પછી, તમારી આધાર વિગતો ચકાસવા માટે Check પર ક્લિક કરો.

સ્ટેપ 4: જે બાદ એક ફોર્મ ખુલશે, જેમાં તમારે બધી વિગતો ભરવાની રહેશે. આ ફોર્મની તમામ કોલમ કાળજીપૂર્વક ભરો. આમાં તમારે રાજ્ય, સરનામું જેવી તમામ પ્રકારની માહિતી ભરવાની રહેશે.

સ્ટેપ 5: PMAY 2024 માટે તમામ વિગતો ભર્યા પછી, કેપ્ચા દાખલ કરો અને પછી છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો. આ સાથે તમારી PMAY 2024 ઓનલાઇન અરજી પૂર્ણ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X