Agniveer Recruitment : વાયુ સેનામાં 3500 અગ્નિ વીરની ભરતી, આ તારીખથી અહીં આવેદન કરી શકાશે
ભારતીય વાયુ સેનામાં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સરકારની અગ્નિવીર યોજના અંતર્ગત વાયુ સેનામાં 3500 પદો પર નોકરીની જાહેરાત કરાઈ છે.
વાયુ સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનો જુસ્સો ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં જોડાવા 27 જુલાઈ 2023 થી ઓનલાઈન અરજી કરી શકશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 17 ઓગસ્ટ 2023 સુધી ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી ફોર્મ ભરી શકશે.

આવી રીતે ફોર્મ ભરો
-અરજી કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in ઓપન કરો.
-વેબસાઇટના હોમ પેજ પર ભરતી માટેની આપેલી લિંક પર ક્લિક કરો.
-આ પછી માંગેલી માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરાવો.
-રજીસ્ટ્રેશન પછી જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ વિગતો અપલોડ કરો.
-અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
-ફોર્મ સબમિટ થઈ ગયા પછી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને સાચવી રાખો.
કેટલી ફી ચુકવવાની રહેશે?
ભારતીય વાયુસેના ભરતી 2023 માં અરજી માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા ચુકવી શકાશે.
યોગ્યતા
અગ્નિવીર બનવા માંગતા ઉમેરદવારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 12 અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જરૂરી છે. આ સિવાય ઉમેદવારનો જન્મ 27 જૂન 2003 પહેલા અને 27 ડિસેમ્બર 2006 પછીનો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
