Agniveer Recruitment : વાયુ સેનામાં 3500 અગ્નિ વીરની ભરતી, આ તારીખથી અહીં આવેદન કરી શકાશે

ભારતીય વાયુ સેનામાં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સરકારની અગ્નિવીર યોજના અંતર્ગત વાયુ સેનામાં 3500 પદો પર નોકરીની જાહેરાત કરાઈ છે.

વાયુ સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનો જુસ્સો ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં જોડાવા 27 જુલાઈ 2023 થી ઓનલાઈન અરજી કરી શકશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 17 ઓગસ્ટ 2023 સુધી ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી ફોર્મ ભરી શકશે.

Air Force

આવી રીતે ફોર્મ ભરો
-અરજી કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in ઓપન કરો.
-વેબસાઇટના હોમ પેજ પર ભરતી માટેની આપેલી લિંક પર ક્લિક કરો.
-આ પછી માંગેલી માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરાવો.
-રજીસ્ટ્રેશન પછી જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ વિગતો અપલોડ કરો.
-અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
-ફોર્મ સબમિટ થઈ ગયા પછી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને સાચવી રાખો.

કેટલી ફી ચુકવવાની રહેશે?
ભારતીય વાયુસેના ભરતી 2023 માં અરજી માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા ચુકવી શકાશે.

યોગ્યતા
અગ્નિવીર બનવા માંગતા ઉમેરદવારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 12 અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જરૂરી છે. આ સિવાય ઉમેદવારનો જન્મ 27 જૂન 2003 પહેલા અને 27 ડિસેમ્બર 2006 પછીનો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X