CBSE ધોરણ 12ની પરીક્ષા રદ નહિ થાય, 1 જૂને તારીખનું એલાન થશે
CBSE ધોરણ 12ની પરીક્ષા રદ નહિ થાય, 1 જૂને તારીખનું એલાન થશે
સીબીએસઈ ધોરણ 12ની બોર્ડન પરીક્ષાઓને લઈ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ રમેશ પોખરિયાલ નિશંકે આજે એક હાઈલેવલ બેઠક કરી. બેઠકમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ સાથે બોર્ડ એક્ઝામને લઈ સલાહ લેવામાં આવી. જ્યારે સૂત્રોના હવાલેથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે સીબીએસઈ 12ની પરીક્ષાઓ રદ્દ નહિ કરાય. પરીક્ષાનું આયોજન કયા ફોર્મેટમાં ક્યારે થશે, તે વિશે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક 1 જૂને જાણકારી આપશે.

રમેશ પોખરિયાલે કહ્યું કે, જેમ કે વડાપ્રધાને કલ્પના કરી હતી, બેઠક અત્યંત ઉપયોગી હતી, અમને અત્યાધિક મૂલ્યવાન ઉકેલ પ્રાપ્ત થયા હતા. રમેશ પોખરિયાલે કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓઓ સંબંધિત એક સૂચિત, સહયોગાત્મક નિર્ણય પર પહોંચવામાં સક્ષણ હશું અને અમારા અંતિમ ફેસલા વિશે જલદી જ સૂચિત કરી વિદ્યાર્થીઓ અને વાલીઓના મનની અનિશ્ચિતતા દૂર કરશું.
આજે થયેલ બેઠકમાં સીબીએસઈએ 12ની પરીક્ષા માટે બે ઑપ્શનનો પ્રસ્તાવ રાખ્યો છે, જેની સાથે સીબીએસઈએ કહ્યું કે રાજ્ય બોર્ડોને પોતાનો નિર્ણય લેવાની મંજૂરી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પહેલો ઑપ્શન આપ્યો છે કે તેઓ માત્ર પ્રમુખ વિષયો માટે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આયોજિત કરવામાં આવે. બોર્ડ 12ના 174 વષયોમાં પરીક્ષાનું આયોજન કરે છે, જેમાંથી લગભગ 20 વિષય એવા છે જે સીબીએસઈ તરફથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જેમાંથી ભૌતિક, રસાયણ વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, ઈતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, વ્યવસાય અધ્યયન, લેખા, ભૂગોળ, અર્થશાસ્ત્ર, અંગ્રેજી વિષય સામેલ છે. બીજા ઑપ્શન અંતર્ગત, જેમાં માત્ર 45 દિવસ લાગશે, સીબીએસઈએ કહ્યું કે 12 ધોરણના વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષા પોતાની સ્કૂલમાં બેસીને આપી શકે છે, અને કોપી પણ સ્કૂલમાં જ ચેક થશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
