Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારે IPS અધિકારીઓની ભરતીની સંખ્યા વધારીને કરી 200, જાણો કારણ

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં જણાવ્યું કે સરકારે IPS ભરતી 150 થી વધારીને 200 કરી છે. આ ભરતી સેવાઓ પરીક્ષા (CSE) 2020 દ્વારા સીધી ભરતી છે. મંત્રીએ કહ્યું કે IPSની પોસ્ટમાં ઘટાડો થયો છે

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં જણાવ્યું કે સરકારે IPS ભરતી 150 થી વધારીને 200 કરી છે. આ ભરતી સેવાઓ પરીક્ષા (CSE) 2020 દ્વારા સીધી ભરતી છે. મંત્રીએ કહ્યું કે IPSની પોસ્ટમાં ઘટાડો થયો છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ, સેવામાંથી દૂર વગેરે જેવા IPS પદોની ખાલી જગ્યાઓ માટે ઘણા કારણો છે.

IPS

ઉલ્લેખનિય છેકે 1 જાન્યુઆરી, 2022 ના રોજ ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની અધિકૃત સંખ્યા 4,984 હોવી જોઈએ, જ્યારે તે સમયે અધિકારીઓની સંખ્યા 4,120 હતી. આ વર્ષની અંદર લગભગ 144 IPS અધિકારીઓએ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે અરજી કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 95 IPS અધિકારીઓની વિવિધ સ્તરે નિમણૂક કરવામાં આવી છે. ગયા અઠવાડિયે જ, કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં માહિતી આપી હતી કે 1,472 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓ, 864 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ અને 1,057 ભારતીય વન સેવા (IFS) અધિકારીઓની જગ્યાઓ ખાલી છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે 1 જાન્યુઆરી, 2022 સુધીમાં, IAS અધિકારીઓની મંજૂર સંખ્યા 6,789 હોવી જોઈએ, જેમાંથી 5,317 IAS અધિકારીઓ સેવામાં છે. તેવી જ રીતે, IPS અધિકારીઓની સંખ્યા 4,984 હોવી જોઈએ પરંતુ હાલમાં 4,120 IPS અધિકારીઓ સેવામાં છે. IFS અધિકારીઓની જગ્યાઓ 3,191 હોવી જોઈએ પરંતુ માત્ર 2,134 અધિકારીઓ જ આ પોસ્ટ પર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X