શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની વચગાળાની ભરતી થશે
રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્ઞાનસહાયકોની નિમણૂક બાદ પણ અનેક જગ્યાઓ ખાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે નિવૃત શિક્ષકોની ભરતી માટે વચગાળાની ભરતીની મંજૂરી આપી છે.

- 62 વર્ષ સુધીના નિવૃત શિક્ષકોની કરાશે વેતનાધારિત વચગાળાની નિમણૂક
- જ્ઞાનસહાયકોને મળતું વેતન જ અપાશે નિવૃત શિક્ષકોને
- વર્ષના અંતે તેમની સેવાની સમયાવધિ પૂર્ણ થશે
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાંથી નિવૃત થયેલા શિક્ષકોને તક મળશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વચગાળાની નિમણૂક નિયમિત ભરતીની જેમ નથી, પરંતુ ખાલી જગ્યાઓને તાત્કાલિક પૂરવા માટેનો આ એક ઉપાય છે. જેમ જેમ નવો સ્ટાફ નિયમિત ભરતી દ્વારા જોડાશે, તેમ તેમ આ નિવૃત શિક્ષકોની સેવા વિમુક્ત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
