વાવાઝોડા જવાદને લઈને કેટલાક કેન્દ્રો પર NET-IIFT પરીક્ષા રદ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT) ની રવિવારે યોજાનારી પ્રવેશ પરીક્ષા ચક્રવાત જવાદને કારણે મૌકુફ રખાઈ છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT) ની રવિવારે યોજાનારી પ્રવેશ પરીક્ષા ચક્રવાત જવાદને કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક કેન્દ્રોમાં મોકૂફ રાખવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેની સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જારી કરીને આ જાણકારી આપી છે. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે UGC-NET 2020 અને જૂન 2021 ની પરીક્ષા વિશાખાપટ્ટનમના પુરી, ભુવનેશ્વર, કટક, બરહામપુર અને આંધ્રપ્રદેશના ગંજમ જિલ્લા અને ઓડિશાના રાયગઢ જિલ્લાના ગુનુપુરના કેન્દ્રો માટે પછી લેવામાં આવશે.

આ વિસ્તારોમાં IIFT પરીક્ષા નહીં લેવાય
પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને દુર્ગાપુરમાં આઇઆઇએફટીના એમબીએ (ઇન્ટરનેશનલ બિઝનેસ) કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષા ઓડિશામાં ભુવનેશ્વર, કટક અને સંબલપુર, આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમ કેન્દ્રો પર મુલતવી રાખવામાં આવી છે.

નવી તારીખો ક્યારે જાહેર થશે?
NTAએ જણાવ્યું હતું કે ઉલ્લેખિત શહેરોના પરીક્ષા કેન્દ્રોના ઉમેદવારોની પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. જો કે, ઉમેદવારોને એ નોંધવાની સલાહ આપવામાં આવે છે કે મુલતવી ફક્ત ઉલ્લેખિત શહેરોને જ લાગુ પડે છે અને પરીક્ષા ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના અન્ય તમામ શહેરોમાં સમયપત્રક મુજબ લેવામાં આવશે.

તમે હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છો
ઉમેદવારો માટેના અપડેટ અને વિગતો માટે NTA વેબસાઇટ www.nta.ac.in ની મુલાકાત લઈ શકો છે અને 00140459000 પર હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છે અથવા પ્રશ્નો માટે [email protected] પર ઇમેઇલ કરી શકો છે.

હવામાન વિભાગની ચેતવણી
બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન શુક્રવારે ચક્રવાત જવાદમાં ફેરવાયું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ ચક્રવાત શનિવાર સવાર સુધીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી ઓડિશાના દરિયાકાંઠે આવશે. તે બાદ રવિવારની બપોર સુધામાંપુરી નજીક પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઓડિશા સાથે પશ્ચિમ બંગાળના કિનારે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
