સંજય દત્તને મળી 30 દિવસની પેરોલની 'માન્યતા' મળી
એક મોટા સમાચાર બૉલીવુડ સાથે સંકળાયેલા આવી રહ્યાં છે. મુંબઇ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા તોપગોળા, હથિયારોને પોતાના ઘરમાં રાખવાના ગુનામાં યરવડા જેલમાં સજા કાપી રહેલા અભિનેતા સંજય દત્તને 30 દિવસની પેરોલ મળી ગઇ છે. સંજય દત્તને આ પેરોલ તેમની પત્ની માન્યતાની બિમારીના કારણે મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે સંજય દત્તને આ પહેલાં 1 ઓક્ટોબરના રોજ અજ્ઞાત બિમારી કારણે પેરોલ પર છુટકારો મળ્યો હતો. સંજય દત્તના પગમાં જોરદાર દુખાવો હતો જેની સારવાર તે કરાવી રહ્યાં છે.
આ પેરોલ દરમિયાન સંજય દત્તે આખો દિવસ ઘરવાળાઓ સાથે મુંબઇમાં વિતાવ્યો હતો અને મીડિયાને અનુરોધ કર્યો હતો કે આ દરમિયાન તે ગોપનીયતાનું સન્માન કરે, જેના કારણે તે જેલમાંથી પરત ફર્યા છે તો તેમને તેના માટે મીડિયાનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આર્મ એક્ટ હેઠળ દોષી ગણવામાં આવેલા અભિનેતા સંજય દત્તને સુપ્રીમ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે, જેમાંથી લગભગ દોઢ વર્ષની સજા પહેલાં કાપી ચૂક્યાં છે એટલા માટે હવે તેમને સાડા ત્રણ વર્ષની સજા કાપવાની છે. સંજય દત્ત પૂણેની યરવડા જેલમાં બંધ છે.