5 કારણ: ભૂલ કહેવાશે 'બજરંગી ભાઇજાન' નહીં જુઓ તો...
[બોલીવુડ] કબીર ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'બજરંગી ભાઇજાન' રિલીઝ થઇ ચુકી છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાના ઝંડા રોપી રહી છે. ફિલ્મે બે દિવસમાં 63.75 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં સલમાન ખાન, કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દિકી અને હર્ષાલી મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા અદા કરી છે.
જોકે ફિલ્મ ભારત અને પાકિસ્તાનના સંબંધો પર બનેલી છે. પરંતુ બીજી બોલીવુડ ફિલ્મોની જેમ તે ક્યાંય પણ લોકોના મનમાં કડવાશ નથી પેદા કરતી. જોકે કબીર ખાને ખૂબ જ ઇમોશનલ રીતે લોકોની સામે એક કલ્પના રાખી છે કે આવું પણ થઇ શકે છે.
અહીં અમે આપને એ પાંચ કારણો જણાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને આપને થશે કે ફિલ્મ નહીં જોવી એક ભૂલ કહેવાશે...

સુપરસ્ટાર નહીં, એક્ટર સલમાન ખાન
જી, હા, ઘણા સમય પહેલા આપને સલમાન ખાનનો સુપરસ્ટાર અવતાર નહીં, પરંતુ સ્ક્રીન પર એક્ટર સલમાન ખાન દેખાશે. માટે આ ફિલ્મ જોવા માટે આપે સલમાન ખાનના ફેન હોવાની જરૂરત નથી. બજરંગી ભાઇજાન આપનું દિલ જીતી લેશે.

સીધા સાચા ડાયલોગ
ફિલ્મના ડાયલોગ દિલને ટચ કરી જાય તેવા છે. કબીર ખાન ડાયલોગ દ્વારા ક્યાંકને ક્યાંક, દર્શકોને પણ ઇમોશનલ કરી જાય છે, તો ક્યારેક હસાવી જાય છે. ફિલ્મના ડાયલોગ સીધા અને સત્ય છે. ''અમે બજરંગ બલીના ભક્ત છીએ.. ખોટુ નથી બોલતા..'' જેવા ડાયલોગ આપ પોતાની સાથે ઘરે લઇ જશો.

બેકગ્રાઉંડ મ્યૂઝિક
ફિલ્મની શરૂઆતથી લઇને ક્લાઇમેક્સ સુધી ફિલ્મનું બેકગ્રાઉંડ સ્કોર આપને બાંધી રાખે છે. મ્યૂઝિકથી કંઇ રીતે આપ દર્શકોને બાંધી રાખી શકો છો, અત્રે કબીર ખાને બજરંગી ભાઇજાનમાં આબેહુબ બતાવ્યું છે.

કબીર ખાનનું નિર્દેશન
કબીર ખાને એકવાર ફરી બતાવી દીધું કે સલમાન ખાન અને તેમની જોડી જબરદસ્ત છે. નિર્દેશનના મામલામાં આ ફિલ્મ માટે કબીર ખાનને પૂરેપૂરા નંબર આપી શકાય છે. એક ગંભીર વિષયને આ રીતે મોટા પર્દા પર રાખવો ઘણો રિસ્કી પણ સાબિત થઇ શકતો હતો. પરંતુ કબીર ખાને સાબિત કરી દીધું કે તેઓ આ મામલામાં માસ્ટર છે.

ભારત-પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાનના સંબંધો પર બોલીવુડમાં ઘણી ફિલ્મો બની ચુકી છે. સરફરોશથી લઇને બેબી અને હવે બજરંગી ભાઇજાન. ફિલ્મ થોડી કાલ્પનિક જરૂર લાગે છે, પરંતુ આપ ચોક્કસ ખુશ થશો. ભારત અને પાકિસ્તાનની વચ્ચે આપને એક હકારાત્મક વર્તા જોવી હોય તો બજરંગી ભાઇજાન ચોક્કસ જુઓ.

બજરંગી ભાઇજાન
શરૂઆતમાં બજરંગી ભાઇજાનના ટાઇટલ સામે હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ ફિલ્મ એવી છે કે દરેકે તેનો સ્વીકાર કરી લીધો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
