For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહને આધ્યાત્મિક ગુરુ પાસે લઈ ગઈ હતી રિયા, સામે આવી વઘુ એક ચોંકાવનારી કહાની

કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનુ કારણ શું છે, આ સવાલનો જવાબ દરેક જણ શોધી રહ્યુ છે. વળી, આ કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. ટાઈમ્સ નાઉના સમાચાર મુજબ રિયા ચક્રવર્તી અભિેતા સુશાંત સિંહ રાજપૂતને એક આધ્યાત્મિક ગુરુને મળાવવા લઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો ખુદ આધ્યાત્મિક ગુરુએ ટીવી ચેનલ પર કર્યો છે. આધ્યાત્મિક ગુરુનુ નામ મહેશ સદાશિવ જોશી છે જેમની ઉંમર 70 વર્ષ છે.

ગુરુ મહેશ સદાશિવનો મોટો ખુલાસો

ગુરુ મહેશ સદાશિવનો મોટો ખુલાસો

ગુરુ મહેશ સદાશિવે કહ્યુ કે 22 નવેમ્બર 2019ના રોજ રિયા અભિનેતા સુશાંતને લઈને મારી પાસે આવી હતી. તે ડિપ્રેશનમાં હતા. રિયાએ મને ગૂગલ દ્વારા શોધ્યો હતો, મારી અને સુશાંત વચ્ચે થોડી વાતચીત થઈ હતી, પછી બંને જતા રહ્યા અને મારી આગલી મુલાકાત બીજા દિવસે એટલે કે 23 નવેમ્બરે થઈ હતી ત્યારે મને સુશાંત પહેલા કરતા ઘણા સારા લાગ્યા હતા. ગુરુ મહેશે કહ્યુ કે મારા હાથ ગરમ રહે છે, તેનાથી શરીરમાં ઉર્જા જાય છે. તે બૉડીને ઠીક કે છે. તેમણે કહ્યુ કે આ કોઈ કાળો જાદૂ નથી. આ બધુ એક વ્હાઈટ મેજિકછે.

ગુરુ મહેેશે કહ્યુ કે ડિપ્રેશનમાં હતા સુશાંત સિંહ રાજપૂત

ગુરુ મહેેશે કહ્યુ કે ડિપ્રેશનમાં હતા સુશાંત સિંહ રાજપૂત

ગુરુ મહેશે કહ્યુ કે મને બાંદ્રા પોલિસ સ્ટેશનમાં પણ પૂછપરછ માટે બોલવવામાં આવ્યો હતો પરંતુ મારી ઉંમર 70 વર્ષની છે અને કોરોના વાયરસના કારણે હું પોલિસ સ્ટેશન નહોતો ગયો. મે પોલિસને કહ્યુ હતુ કે હું ઘરેથી જ પોતાનુ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવીને મોકલી શકુ છુ. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક જૂના સ્ટાફ મેમ્બરે એ કહ્યુ હતુ કે સુશાંતના ઘરે એક તાંત્રિક આવતો-જતો હતો પરંતુ તે કેમ આવતો હતો તેના વિશે તેને કંઈ ખબર નથી.

સુશાંત સિંહને દેખાતા હતા ભૂત...

સુશાંત સિંહને દેખાતા હતા ભૂત...

ઉલ્લેખનીય છે કે રિયા ભૂત-પ્રેત અને આત્માઓ પર ભરોસો કરે છે એવુ તેણે ખુદ પોલિસની પૂછપરછમાં જણાવ્યુ છે. વાસ્તવમાં એવા સમાચારો હતા કે સુશંત અને રિયા બંને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા, લગ્ન પહેલા બંને મુંબઈમાં નવુ ઘર શોધી રહ્યા હતા જેનુ કારણ સુશાંતના બાંદ્રાવાળા ખૂબ જ આલીશાન અને લક્ઝુરીયસ ઘરમાં ભૂત-પ્રેત હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. રિયાએ કહ્યુ હતુ કે સુશાંતના બાંદ્રાવાળા ઘરમાં ભૂતનો પડછાયો છે અને તેને અને નોકરોને ઘણી વાર ત્યાં ભૂત દેખાયુ પણ છે. રિયાએ પૂછપરછમાં જણાવ્યુ હતુ કે ડિપ્રેશન સામે લડી રહેલા સુશાંતે તેને ઘણી વાર કહ્યુ કે તેને વિચિત્ર વિચિત્ર અને ભયાનક અવાજો સંભળાય છે.

સુશાંત સિંહના દોસ્તનો દાવો - મને ખબર છે કોણે રચ્યુ ષડયંત્ર, સુરક્ષા મળી તો બધાને કરીશ બેનકાબસુશાંત સિંહના દોસ્તનો દાવો - મને ખબર છે કોણે રચ્યુ ષડયંત્ર, સુરક્ષા મળી તો બધાને કરીશ બેનકાબ

English summary
A spiritual healer has claimed that he met Sushant and Rhea on November 22 and 23, 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X