બોલિવૂડમાં 200 કરોડ ક્લબની શરૂઆત કરનાર ફિલ્મની બનશે સીક્વલ, આઈકોનિક જોડીએ શરૂ કર્યું કામ!
બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઇડિયટ્સ'ના બીજા ભાગ પર આમિર ખાન અને નિર્દેશક રાજકુમાર હિરાણીએ કામ શરૂ કર્યું; કરીના કપૂર, આર. માધવન અને શરમન જોશી પણ તેમના ભૂમિકામાં જોવા મળી શકે છે; ફિલ્મનું શૂટિંગ 2026ના ઉત્તરાર્ધમાં શરૂ થવાની શક્યતા.

બોલિવૂડની આઇકોનિક ફિલ્મ '3 ઇડિયટ્સ' આજે પણ દર્શકોને પ્રિય છે. આ એ જ ફિલ્મ છે, જેના દ્વારા બોલિવૂડમાં સૌપ્રથમવાર 200 કરોડ ક્લબનો ટ્રેન્ડ શરૂ થયો હતો. હવે ફિલ્મ ચાહકો માટે મોટા સમાચાર આવ્યા છે કે અભિનેતા આમિર ખાન અને દિગ્દર્શક રાજકુમાર હિરાણી આ બ્લોકબસ્ટર ફિલ્મની સીક્વલ પર કામ કરી રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, આ નવી વાર્તામાં માત્ર આમિર ખાન જ નહીં, પરંતુ કરીના કપૂર ખાન, આર. માધવન અને શરમન જોશી પણ તેમની ભૂમિકાઓમાં પાછા ફરી શકે છે.
15 વર્ષ પછીની કહાની
- શૂટિંગનો સમય: પિંકવિલાના અહેવાલ મુજબ, ફિલ્મનું શૂટિંગ વર્ષ 2026ના બીજા ભાગમાં શરૂ થવાની સંભાવના છે.
- સ્ક્રીપ્ટ અપડેટ: હાલમાં સ્ક્રિપ્ટ ફાઇનલ સ્ટેજમાં છે. ટીમને વિશ્વાસ છે કે સીક્વલમાં પણ પહેલી ફિલ્મ જેવો જાદુ અનુભવાશે.
- કથા વસ્તુ: કહાની ત્યાંથી આગળ વધશે જ્યાં મૂળ ફિલ્મનો ક્લાઇમેક્સ પૂરો થયો હતો - એટલે કે લગભગ 15 વર્ષ પછી. પાત્રો પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હશે, પરંતુ એક નવો રોમાંચ તેમને ફરી એકસાથે લાવશે.
રાજકુમાર હિરાણીનું ધ્યાન સ્ક્રિપ્ટ પર
સૂત્રોએ જણાવ્યું કે, રાજકુમાર હિરાણી આ સીક્વલ માટે વર્ષોથી વિચારી રહ્યા હતા, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે સ્ક્રિપ્ટ પહેલી ફિલ્મની પ્રતિષ્ઠાને અનુરૂપ તૈયાર થાય. આ જ કારણોસર પટકથા પર વિશેષ ધ્યાન આપીને ઘણો સમય લગાવવામાં આવ્યો છે, જેથી કહાનીમાં ભાવનાઓ, હાસ્ય અને સામાજિક સંદેશનું સંતુલન જળવાઈ રહે, જે હિરાણીની ફિલ્મોની ઓળખ છે.
આમિર અને હિરાણી અગાઉ દાદા સાહેબ ફાળકેની બાયોપિક પર કામ કરી રહ્યા હતા. જોકે, ઘણા ડ્રાફ્ટ તૈયાર થયા પછી પણ આમિરને લાગ્યું કે સ્ક્રિપ્ટમાં તેમની જોડીના સ્તરનો હાસ્ય-નાટકનો મેળ નથી. અનેક સંશોધનો બાદ પણ સંતોષ ન મળતાં તે પ્રોજેક્ટ હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ હિરાણીએ પોતાની સંપૂર્ણ ઊર્જા '3 ઇડિયટ્સ 2' તરફ વાળી છે.












Click it and Unblock the Notifications
