મહાભારતના કૃષ્ણ બનવા માંગે છે આમિર ખાન
મુંબઈ, 10 ડિસેમ્બર : સત્યમેવ જયતે વડે સમાજની સચ્ચાઈ ખૂબ જ નજીકથી જોયા બાદ આમિર ખાનનું કહેવું છે કે આ ખૂબ જ સુંદર સમાજની ખરાબ સચ્ચાઈએ તેમને બદલી નાંખ્યા છે. આમિર ખાને તાજેતરમાં જ એક ટેલીવિઝન ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું કે સત્યમેવ જયતેએ તેમને બદલી નાંખ્યુ છે, તેઓ હવે વિદેશ પણ જાય, તો તેમને હોમસિક અનુભવાય છે. સાથે જ આમિરે એમ પણ જણાવ્યું કે તેઓ મહાભારત ઉપર એક ફિલ્મ બનાવવા માંગે છે.

આમિર ખાને જણાવ્યું કે તેમને લાગે છે કે મહાભારત ઉપર બનનાર ફિલ્મમાં તેમણે કૃષ્ણનું પાત્ર ભજવવું જોઇએ. નોંધનીય છે કે આમિર ખાને થોડાંક દિવસ અગાઉ જ મહાભારત પર ફિલ્મ બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારે આમિરે કઈંક ખુલાસો કર્યો નહોતો. આ વખતે આમિરે પોતાની ઇચ્છા અંગે જણાવ્યું કે મહાભારત પર ફિલ્મ બનાવવું તેમનું સ્વપ્ન છે, પરંતુ આ ફિલ્મ બનાવવા માટે તેમને ખૂબ ઉંડાણપૂર્વક આ વિષય ઉપર રિસર્ચ કરવી પડશે અને આ રિસર્ચમાં તેમને 2 વરસનો સમય પણ લાગ શકે છે.
આમિર ખાને એમ પણ જણાવ્યું કે તેઓ જ્યારેય આ ફિલ્મ અંગે વિચારે છે, તેમને ભય લાગે છે કે ક્યાંક આ વિષય સાથે તેઓ ન્યાય ન કરી શક્યાં તો? આમિરે જણાવ્યું કે તેમને એમ તો કર્ણનું પાત્ર ખૂબ પસંદ છે, પરંતુ તેઓ કર્ણના રોલમાં ફિટ નથી બેસતાં. તેથી તેમને લાગે છે કે કૃષ્ણનું પાત્ર જ તેમને સૂટ કરશે. આમિર ખાન કે જેમણે આ વર્ષે સત્યમેવ જયતે દ્વારા સમાજની ખૂબ જ ગંદી સચ્ચાઈ સૌની સામે લાવી મુકી છે તેમનું માનવું છે કે એક કલાકારે પોતાની કલા વડે સમાજ માટે કઈંક કરવું જોઇએ. સત્યમેવ જયતે દ્વારા તેમનો આ જ સંદેશ હતો અને આ જ તેમનો એજંડા હતો.
આમિરે સાથે જ કહ્યું કેતેઓ તાજેતરમાં ઑનર કિલિંગના ભોગ બનનાર અબ્દુલ હકીમના પરિવારી પણ શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ સીરિયલે તેમને સચ્ચાઈની ખૂબ જ નજીક લાવી મુક્યાં છે. આ શોને શુટ કરતી વખતે અનેક વાર તેઓ રડ્યાં પણ, કારણ કે સમાજની અનેક સચ્ચાઇઓ ખૂબ જ કડવી હતી કે જે જોઈ શકવું ખૂબ જ મુશ્કેલ હતું.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
