અભિનેત્રી રિયા કુમારીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે?
રિયા કુમારીની હાવડા પાસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
પશ્ચિમ બંગાળના હાવડા પાસે ઈશા આલિયાના નામે જાણીતી અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. હવે આ મામલે નવો વણાંક આવ્યો છે. પોલીસે રિયાની હત્યાના આરોપમાં તેના પતિની ધરપકડ કરી છે.

રિયા કુમારી તેના પતિ અને પુત્રી સાથે કલકત્તા જઈ રહી હતી ત્યારે હાવડા પાસે હાઈવે પર ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ તેના પતિએ કહ્યું હતું કે લુંટના ઈરાદે આવેલા કેટલાક લોકોએ રિયાની હત્યા કરી છે. હવે પોલીસે કહ્યું છે કે, આ કેસમાં રિયાના પતિની ધરપકડ કરાઈ છે. પોલીસ અનુસાર, પુછપરછ અને પરિવારની ફરિયાદના આધારે તેના પતિની ધરપકડ કરાઈ છે.
પોલીસે આ મુદ્દે આગળ જણાવ્યુ કે, ઈશા આલિયા એટલે કે રિયા કુમારીના પતિ સામે કલમ 302 હત્યા, 201 ખોટી માહિતી આપવી, 498A સ્ત્રી પ્રત્યે ક્રૂરતા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધાયો છે. તેમણે કહ્યું કે આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. રિયા કુમારી ઈશા આલિયાના નામથી જાણીતી હતી. તે એક યુટ્યુબર અને અભિનેત્રી છે.
આ પહેલા સામે આવેલી વિગતો અનુસાર, રિયા અને પતિ પ્રકાશ કુમાર તેની 2 વર્ષની પુત્રી સાથે હાઈવે 16 પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ વહેલી સવારે 6 વાગે બાથરૂમ જવા માટે રોકાયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ લુંટના ઈરાદે હુમલો કર્યો અને આ દરમિયાન ફાયરિંગમાં રિયાનું મોત થઈ ગયુ. આ લુટારૂઓ બંગાળીમાં વાત કરી રહ્યા હતા. ઘટના બાદ તેનો પતિ પ્રકાશ ત્રણ કિલોમીટર મદદ માટે ગયો હતો. અહીં તેને લોકોને આ વિગતો સંભળાવી હતી. હવે પોલીસે કહ્યું કે, ઘટનાની તપાસ કરાઈ રહી છે અને પતિની પુછપરછ કરાઈ રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
