અભિનેત્રી તુનિષા શર્માએ આત્મહત્યા કરી, જાણો શું કહ્યું પોલીસે?
ટીવીની દુનિયાથી વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. હવે વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે.
મુંબઈ : ટીવીની દુનિયામાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી વિગતો અનુસાર, અભિનેત્રી તુનિષા શર્માએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તુનિષાએ સિરિયલના સેટ પર જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી.
આ મુદ્દે મહારાષ્ટ્રની વાલીવ પોલીસે જણાવ્યુ કે, તુનિષા શર્મા લટકતી હાલતમાં જોવા મળી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ. અહીં ડોક્ટરોએ અભિનેત્રીને મૃત જાહેર કરી હતી.
20 વર્ષની તુનિષા શર્મા ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તે વીર પુત્ર-મહારાણા પ્રતાપ, ચક્રવર્તી અશોક સમ્રાટ, ઈન્ટરનેટ વાલા લવ જેવા ટીવી શોમાં જોવા મળી છે. આ સિવાય તુનીષા શર્મા લોકપ્રિય ટીવી સિરિયલ અલીબાબામાં પણ જોવા મળી હતી. પ્રિન્સેસ મરિયમનું પાત્ર ભજવનાર તુનીશા ટીવી શો સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
તુનિષા દબંગ 3 અને કહાની 2 સહિની ફિલ્મોમાં જોવા મળી છે. તુનિષાએ આત્મહત્યાના થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના ફોટો શેર કર્યા હતા અને કેપ્શન લખ્યુ હતું કે, જે જુસ્સાથી પ્રેરિત છે તે અટકતા નથી. તુનિષા સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય હતી અને કૈટરીના સાથે ફિલ્મ ફિતુરમાં જોવા મળી હતી.