હૈદરાબાદ રેપ કેસ પર વહીદા રહમાનનું નિવેદન, કહ્યું- એન્કાઉન્ટર નહોતું થવુ જોઈતુ હતુ
હૈદરાબાદ રેપ કેસ પર વહીદા રહમાનનું નિવેદન, કહ્યું- એન્કાઉન્ટર નહોતું થવુ જોઈતુ હતુ
હૈદરાબાદના દિશા રેપ અને હત્યા કેસના મામલા બાદ જ્યારે પોલીસે અપરાધીઓનું એન્કાઉન્ટર થયું તો આખા દેશે આ મામલે પોલીસનો સાથ આપ્યો. એવામાં કેટલાક એા લોકો પણ છે જેમનું માનવું હતું કે પોલીસે કર્યું એ ખોટું છે. જણાવી દઈએ કે આ મામલે ના માત્ર સામાન્ય જનતા બલકે બૉલીવુડ સેલેબ્સના કેટલાંય રિએક્શન પણ આવ્યાં હતાં. પરંતુ હાલ એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે જે વેટરન એક્ટ્રેસ વહીદા રહમાને આ કેસ પર એક નિવેદન આપ્યું છે. અભિનેત્રી વહીદા રહમાને બળાત્કાર અને આરોપીઓના એન્કાઉન્ટર પર કહ્યું કે..
જીવ ના લઈ શકે
વહીદા રહમાને કહ્યું કે રેપ જેવા અપરાધ માફી લાયક નથી. પરંતુ મારું એવું પણ માનવું છે કે આપણને કોઈનો જીવ લેવાનો બિલકુલ અધિકાર નથી.
કાનૂની કાર્યવાહી ના થવી જોઈએ
આપણે બળાત્કારીઓને આખી જિંદગી માટે જેલમાં નાખી દેવા જોઈએ. આ ઉપરાંત વહીદા રહમાને કહ્યું કે આ મામલે આપણે કાનૂની કાર્યવાહીને ફોલો ના કરવી જોઈએ.
સીધા જેલમાં નાખો
જ્યારે તેઓ રંગે હાથે પકડાય છે ત્યારે તેમની વિરુદ્ધ કેસ જ કેમ દાખલ કરાય છે? આવું કરીને તમે જનતાના પૈસા બરબાદ કરી રહ્યા છો. આના માટે કોઈપણ કાનૂની કાર્યવાહી વિના આવા લોકોને જિંદગીભર માટે જેલમાં નાખી દેવા જોઈએ.
ફેન પોલોઈંગ
તેમનું આ નિવેદન ભારે વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વહીદા રહમાન બહુ શાનદાર અભિનેત્રી રહી છે અને તેમનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.
મંતવ્ય
આ અવસર પર તેના મંતવ્યના લોકો વખાણ કરી રહ્યા છે અને તેમની આ વાતથી લોકો પણ સહમત થઈ રહ્યા છે.