9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે
9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે
સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડના બે અઠવાડિયાથી સતત નેપોટિઝ્મ ચર્ચામા છે. કેટલાય કલાકારોએ ડિપ્રેશન અને નેપોટિઝ્મને લઇ વાત કરી છે. આ દરમિયાન શેખર સુમને સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઈ તપાસની માંગ કરતા કહ્યું કે તેમનો દીકરો પણ મૂવી માફિયાનો શિકાર થયો છે.
એવામાં આખરે શેખર સુમનના દીકરા અધ્યયન સુમને એક ઇન્ટર્વ્યૂમાં સચ્ચાઇ પરથી પડદો ઉઠાવ્યો છે, તે પણ આનો શિકાર થયો છે. 9 વર્ષથી કોઇએ તના કામની વાત નથી કરી. કમ્પબાજીથી લઇ ડ્રગ્સ અને ડિપ્રેશન પર પણ વાત કરી છે.

ચોંકાવનારો ખુલાસો
જે ઘણું ચોંકાવનારું છે. તેમણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર્સ ઉપરાત ઇનસાઇડર્સ સાથે પણ ખેમેબાજી થાય છે. તેમણે ખુદની આપવીતી સંભળાવી છે. અહીં વાંચો.

મૂવી માફિયાનો શિકાર બન્યો છું
ઇટાઇમ્સ સાથેની વાતમાં અધ્યયન સુમને કહ્યું કે હું નેપોટઝ્મનું મોટું ઉદાહરણ છું. જેને ઇન્ડસ્ટ્રીથી કંઇ નથી મળ્યું. જેમાં ક્યાંકને ક્યાંક દર્શકોની પણ ભૂલ છે. દર્શકોએ તેમને અપનાવ્યા છે. જે કારણે મૂવી માફિયા બની ગયા છે. હું પણ તેનો શિકાર બની ચૂક્યો છું.

9 વર્ષ સુધી કોઇએ મારો ફોન નહોતો ઉઠાવ્યો
હું એનું નામ નહિ લઉ. એણે મને નંબર આપ્યો. આજ સુધી તેણે મારો ફોન નથી ઉઠાવ્યો. મારા પિતાએ પોતાના જીવનમાં ઘણુંબધું અચીવ કર્યું છ. પરંતુ નવ વર્ષ સુધી મારો ફોન કોઇએ ના ઉઠાવ્યો.

આઉટસાઇડર્સને મોકો મળતો
સુશાંત આઉટસાઇડર હતા. પરંતુ બહુ મોટા સ્ટાર હતા. તેમણે મોટી ફિલ્મો કરી. શાહરુખ પણ મોટા સ્ટાર છે. આઉટસાઇડર પર દબાણ નથી હોતું. પરંતુ સ્ટાર કિડ્સ પર હોય છે. પરંતુ તમે રણવીર કપૂરનું ટેલેન્ટ નજરઅંદાજ ના કરી શકો. આયુષ્માન પણ સ્ટગલર્સ રહ્યો છે. તેમણે 9 હિટ ફિલ્મે આપી. જેનાથી સાબિત થાય છે કે આઉટસાઇડર્સને મોકો મળે છે.

માફિયા સર્કલમાં બોલાવવામા આવ્યો
મન પણ બે વાર માફિયા સર્કલમાં બોલાવવામા આવ્યો. મેં અહીં ડ્રગ્સ અને પાગલપન જોતા જ દૂર રહેવાની ફેસલો લઇ લીધો. મારી બીજી ફલ્મ પણ ચાલી છતાં કોઇએ મને બોલાવ્યો નહિ. આ મારી કહાની છે.

કોઇએ મારો ફોન ના ઉઠાવ્યો
પહેલી ફિલ્મ સુધી મને દીકરો કહી બોલાવ્યો. બે ફિલ્મ ફ્લોપ થતા જ કોઇએ મારો ફોન ના ઉઠાવ્યો. જેમ જેમ તમે ફ્લોપ થતા જાવ છો તમને સાઇડલાઇન કરી દેવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી તમારો પરિવાર છે તમે ચાલ્યા કરો.

આત્મહત્યાના વિચાર આતા હતા
આ વાતચીતમાં અધ્યયને પણ કહ્યું કે વર્ષ 2011થી 2015 દરમિયાન તેમની પાસે કંઇ કામ નહોતું. અધ્યયને એમ પણ જણાવ્યું કે તે ડિપ્રેશનમાં હતો. ત્યાં સુધી કે તેને સુસાઇડના ખ્યાલ પણ આવતા હતા.












Click it and Unblock the Notifications
