Pics : આખરે કેમ ખિન્ન થયાં આદિત્ય પંચોલી?
મુંબઈ, 6 જૂન : બૉલીવુડ અભિનેતા આદિત્ય પંચોલી કેમ ખિન્ન છે? શું પુત્ર સૂરજ પંચોલી અનાયાસે જિયા ખાનના મોત સાથે સંકળાઈ જવાથી આદિત્ય પંચોલી ટેંશનમાં આવી ગયાં છે. અણધારી મુસીબત માથે આવી પડતાં કદાચ આદિત્ય પંચોલી પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠા છે.
આ માત્ર કહેવાની વાત નથી, પણ ગઈકાલે જિયા ખાનના અંતિમ સંસ્કાર દરમિયાન આદિત્ય પંચોલી કંઈક એવી જ હાલતમાં દેખાયાં. તેઓ એટલાં બધા ખિન્ન હતાં કે તેમણે પોતાની ગાડી મીડિયાના કૅમેરાઓ પર ચડાવી દીધી. વિરોધ કરાતાં આદિત્ય પંચોલી મીડિયાકર્મીઓ સાથે બાઝી પડ્યાં અને દલીલબાજી કરવા લાગ્યાં.
નોંધનીય છે કે જિયા ખાન બૉલીવુડના જાણીતા અભિનેત્રી હતાં કે જેમણે સોમવારે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી.
આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો.
બૉલીવુડમાં મોટો મુકામ નથી
આદિત્ય પંચોલી બૉલીવુડમાં કોઈ ખાસ મુકામ હાસલ ન કરી શક્યાં, પરંતુ તેઓ સાથે કેટલાંક વિવાદો જરૂર જોડાયેલાં છે.
પ્રથમ વિવાદ
પહેલી વાર તેઓ વિવાદમાં સપડાયા હતાં અભિનેત્રી પૂજા બેદી દ્વારા તેમની મેડ સાથે આદિત્યે બળાત્કારનો પ્રયત્ન કર્યાનો આરોપ મુકાતાં.
બળાત્કારના પ્રયાસનો આરોપ
પૂજાએ આરોપ મૂક્યો હતો કે આદિત્યે તેમની (પૂજાની) ગેરહાજરીમાં તેમની મેડ સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો. જોકે આદિત્ય વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ નહોતી કરાઈ.
કંગના સાથે નિકટતા
આદિત્ય પંચોલી આજે બૉલીવુડમાં ખાસ જગ્યા બનાવી લેનાર કંગના રાણાવત સાથે પણ નિકટતા ધરાવતા હતાં.
ત્રિમૂર્તિ વખતે વિવાદ
આદિત્ય ત્રિમૂર્તિ ફિલ્મ અંગે પણ વિવાદમાં આવ્યા હતાં.
અનિલ કપૂરે કરી હતી ફરિયાદ
અનિલ કપૂરે પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમને અંડરવર્લ્ડ તરફથી ત્રિમૂર્તિ ફિલ્મ છોડવા માટે ધમકીઓ મળી રહી છે.
ધમકી આપવાનો આરોપ
પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે ધમકી ભર્યા ફોન આદિત્ય પંચોલી કરતા હતાં.
પુત્રની ચિંતા
આદિત્ય પંચોલીને કદાચ હાલ પોતાના પુત્ર સૂરજની ચિંતા સતાવતી હશે, કારણ કે સૂરજ હજુ બૉલીવુડમાં કૅરિયર શરૂ કરવાનો હતો કે તે પહેલા જ જિયા ખાન આત્મહત્યા કેસ સાથે સંકળાઈ ગયો છે.