દરિયાપાર 350 થિયેટરોમાં રિલીઝ થશે એસઓએસ
મુંબઈ, 7 નવેમ્બર : ઇન્ડિયામાં ભલે અજય દેવગણે પોતાની ફિલ્મ સન ઑફ સરદાર માટે સિનેમા ઘરોની તંગી વર્તાઈ રહી હોય, પરંતુ ઓવરસીઝ માર્કેટમાં એસઓએસ માટે સ્ક્રીન્સની કોઈ કમી નથી. સમાચાર છે કે ઓવરસીઝ માર્કેટમાં સન ઑફ સરદાર કુલ 250 સ્ક્રીન્સ પર રિલીઝ કરાશે. સાથે જ ભારતમાં પણ સૌથી મોટા માર્કેટમાં આવેલા સિનેમા ઘરોમાં ફિલ્મ રિલીઝ થશે.
અજય દેવગણે તાજેતરમાં જ યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ને લીગલ નોટિસ મોકલાવી જણાવ્યુ હતું કે તેમણે ઈદના દિવસે રિલીઝ થલેયી પોતાની ફિલ્મ એક થા ટાઇગર સાથે જ પોતાની બીજી ફિલ્મ જબ તક હૈ જાન માટે થિયેટર બુક કરાવી લીા હતાં અને તેથી તેમને સન ઑફ સરદાર માટે થિયેટરોની તંગી ઊભી થઈ છે. જોકે શાહરુખ ખાન અને અજયે એક-બીજા અંે કોઈ પણ જાતની કૉમેન્ટ નથી કરી.
પરંતુ શાહરુખ અજયની કમ્પની દ્વારા લીગલ નોટિસ મોકલાવા અંગે થોડાંક નારાજ જરૂર છે. તેમણે પોતાની નારાજી વ્યક્ત કરતાં જણાવ્યં - મારૂં લૉજિક એમ છે કે જો આપ થિયેટરોની સંખ્યા અંગે નારાજ છો, તો આપે પહેલા થિયેટરો બુક કેમ ના કરાવ્યાં? જો આપના બિઝનેસ હાઉસે એમ ના કર્યું અને કોઈક બીજાએ કર્યું, તો આપ તેનો બદલો અમારી સામે કેમ વાળી રહ્યાં છો? આ વાતને આટલો મોટો મુદ્દો કેમ બનાવાય છે? જો આપની પાસે ઑપ્શન હોય, તો આપ પોતાની ફિલ્મ શુક્રવારે રિલીઝ કેમ નથી કરતાં? તે અંગે આપ પૂર્ણત્વે સ્વતંત્ર છો. આપ ચાહો, તો ફિલ્મ એક સપ્તાહ અગાઉ અથવા પછી પણ રિલીઝ કરી શકો છો અને જો આપે સાથે જ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હોય, તો પછી કરો.