આલિયા ભટ્ટે જણાવ્યુ પોતાના લિવ ઈન રિલેશનશિપ અને પ્રેગ્નેન્સીનુ સત્ય, કહ્યુ - લૉકડાઉનમાં રણબીરે કર્યુ આ કામ
ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટ પોતાની પ્રેગ્નન્સી અને લગ્ન જીવન વિશે મીડિયા સાથે ખુલીને વાત કરતી જોવા મળી હતી.
મુંબઈઃ બૉલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે જ્યારથી પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચામાં છે. આલિયા ભટ્ટ અને તેનો રિયલ લાઈફ પતિ રણબીર કપૂર હાલમાં તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નુ જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. બૉલિવુડની ફિલ્મો ફ્લૉપ થવાના ટ્રેન્ડ વચ્ચે આલિયા અને રણબીર તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને સુપરહિટ બનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે અમિતાભ બચ્ચન, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટ પોતાની પ્રેગ્નન્સી અને લગ્ન જીવન વિશે મીડિયા સાથે ખુલીને વાત કરતી જોવા મળી હતી.

લિવ ઈન રિલેશન પર આલિયાએ કહી આ વાત
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મના મેકર્સ સાથે તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ આલિયા ભટ્ટ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ્સમાં પહોંચી રહી છે. આ દરમિયાન આલિયા ભટ્ટે મીડિયા સાથે વાત કરતાં તેના લિવ-ઈન રિલેશનશિપ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.

પાર્ટનર સાથે સહજ હોય છે સંબંધ
જ્યારે આલિયા ભટ્ટને લિવ-ઈન રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે ફક્ત એટલુ જ કહ્યુ- લિવ-ઈનમાં રહેવુ કોઈ ખરાબ વાત નથી. તમે લિવ ઇનમાં રહીને એકબીજા સાથે સહજ રહી શકો છો. વળી, લગ્ન પહેલા પાર્ટનર સાથે લિવ-ઈનમાં રહેવાથી ઘણી યાદો પણ બને છે જે ઘણી સારી હોય છે.

લગ્ન પહેલા લિવ ઈનમાં રહેતા હતા આલિયા-રણબીર
આલિયા ભટ્ટે પોતાના લિવ-ઈન રિલેશનશિપ વિશે વાત કરતા જણાવ્યુ કે તે અને રણબીર કપૂર ખરેખર લગ્ન કરવા માગતા હતા એટલે જ બંનેએ લગ્ન પહેલા સાથે રહેવાનુ પ્લાનિંગ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્ન પહેલા લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને લિવ-ઈનમાં પણ રહેતા હતા. આખરે બંનેએ એપ્રિલ 2022માં લગ્ન કરી લીધા અને હવે આલિયા તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે.

એપ્રિલ 2022માં કર્યા હતા લગ્ન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણબીર અને આલિયા લાંબા સમયથી એકબીજાના સારા મિત્રો હતા. જો કે, ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. જે બાદ બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. વળી, આલિયાએ લગ્નના 2 મહિના પછી જ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. બાદમાં તેનુ બેબી બમ્પ પણ દેખાવા લાગ્યુ હતુ. લોકોનુ માનવુ છે કે આલિયા પતિ રણબીર કપૂર સાથે લિવ-ઈનમાં રહેતાં ગર્ભવતી થઈ હતી. તેથી જ બંનેએ વહેલા લગ્ન કરી લીધા અને ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા લોકોને તેમના માતા-પિતા બનવાના સારા સમાચાર આપ્યા.

એકબીજાને સમજવા માટે લિવ ઈનમાં રહેવુ જરુરી
લિવ-ઈન રિલેશનશિપ વિશે વાત કરતા આલિયાએ કહ્યુ- જો તમે રહી શકતા હોય તો કેમ નહિ? તમે બંને એકબીજાને સમજવા લાગો છો. તમે તમારા સંબંધોમાં સહજ થાવ છો. તમે ઘણી બધી યાદો બનાવી શકો છો, તે પણ કોઈપણ દબાણ કે બોજ વગર અને જો તમારે લગ્ન કરવાં હોય તો કેમ નહીં. સમયસર લગ્ન કરી લો.

લૉકડાઉનમાં એકબીજા સાથે રહેવાનો મોકો
આલિયાએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યુ- અમે ખરેખર લગ્ન કરવાના હતા તેથી અમે સાથે રહેવાની યોજના બનાવી. જો કે આ પછી કોરોના આવ્યો પરંતુ પ્લાનિંગ ખતમ ન થયુ. લોકડાઉનને કારણે અમારે એકબીજા સાથે ઘણો સમય વિતાવવો પડ્યો. કમસે કમ અમે આગળ વધી રહ્યા હતા. અમે વિચારતા હતા કે અમે બધુ ઠીક કરીશુ, બધુ વ્યવસ્થિત થઈ જશે. ખરેખર, અમે આનુ આયોજન આ રીતે જ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
