Allu Arjun Arrested : અલ્લુ અર્જુનની કયા કેસમાં ધરપકડ થઈ? જાણો જામીન મળશે કે કેમ?
Allu Arjun Arrested : પુષ્પા ફેમ સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન પોલીસ કેસમાં ફસાયો છે. પોલીસે તેની ધરપકડ કરી છે.
એક તરફ ફિલ્મ પુષ્પા ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી લેતા મોટા મોટો વિવાદ સર્જાયો છે.

હાલમાં જ પુષ્પા 2 ના એક સ્ક્રિનિંગ દરમિયાન એક નાસભાગ મચી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.
અલ્લુ અર્જુન સામેનો કેસ એવો છે કે તેના કારણે જ તે થિયેટરમાં આવ્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ અને મહિલાનું મોત થયું છે. અલ્લુ અર્જુન સામે દોષિત માનવહત્યા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 118 હેઠળ એટલે કે BNS ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા માટે લાગુ કરાય છે. આ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
આ અંતર્ગત કોઈ પણ કામ જાણી જોઈને કે બેદરકારીથી કરે છે. જેના કારણે કોઈનું મૃત્યુ થાય છે તો 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને 20 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આ કલમ હેઠળ જામીન આપવામાં આવે છે. જેમાં આગોતરા જામીન માટે અરજી આપી શકાય છે. મતલબ કે ધરપકડ થયા બાદ અલ્લુ અર્જુનને જામીન મળી શકે છે.












Click it and Unblock the Notifications
