ફિલ્મફૅર : શાહરુખ-અમિત-દિલીપ એક સાથે ચમકશે
મુંબઈ, 15 માર્ચ : આ વર્ષે હિન્દી સિનેમાને પૂરા સો વરસ થઈ ગયાં છે. તેથી સિને દર્શકો અને સિને કલાકારો માટે ઘણું બધું થઈ રહ્યું છે. ફિલ્મફૅર મૅગેઝીને પણ આ સો વર્ષને ખૂબ જ રસપ્રદ રીતે ઉજવવાનું વિચાર્યું છે. ફિલ્મફૅરના કવર પેજ પર પ્રથમ વાર હિન્દી સિનેમાની ત્રણ પેઢીઓ દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની તસવીરો પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું છે.

ત્રણે કલાકારો ફિલ્મી દુનિયાના આઇકૉન છે અને ત્રણેય ત્રણ પેઢીઓ દર્શાવે છે. કદાચ હિન્દી સિનેમાને દર્શાવવાની આનાથી સારી કોઈ તક ન હોઈ શકે. એમ તો ફિલ્મફૅરની વાત પોતે અમિતાભ બચ્ચને લોકોને પોતાના બ્લૉગના માધ્યમથી જણાવી છે. ભોપાલમાં ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ કરતાં બિગ બીએ આ સમાચાર સાથે કેટલીક તસવીરો પણ શૅર કરી છે. અમિતાભ બચ્ચને વર્ષ 1962ની એક તસવીર પોતાના બ્લૉગ પર પોસ્ટ કરી છે કે જેમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ સાથે દિલીપ કુમાર, દેવાનંદ અને રાજ કપૂર ઊભા છે.
બિગ બી અમિતાભ બચ્ચને તસવીર નીચે લખ્યું છે કે નહેરૂજીએ ત્રણેને પોતાના ઘરે ખાવા પર આમંત્રિત કર્યા હતાં. આ તસવીર તે વખતની છે. આ પ્રસંગે હું પણ ત્યાં હાજર હતો. હું એક કૉલેજિયન વિદ્યાર્થી હતો અને ત્રણે કલાકારોનો બહુ મોટો પ્રશંસક પણ હતો. તે વખતે ત્રણે કલાકારો નહેરૂજી સાથે તસવીર પડાવતા હતાં અને હું તે ત્રણેને આંખો ફાડી-ફાડીને જોઈ રહ્યો હતો.
નોંધનીય છે કે અમિતાભ હોય કે શાહરુખ ખાન. સૌના માટે કહેવાય છે કે તેઓ ભારતના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની કૉપી કરે છે. શાહરુખનો તો ચહેરો પણ દિલીપ કુમાર સાથે લોકો ભેળવી નાંખે છે. અમિતાભ અને દિલીપ કુમારે શક્તિ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું, તો અમિતાભ અને શાહરુખે કભી ખુશી કભી ગમ તેમજ મોહબ્બતેં ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. કિંગ ખાને તો દિલીપની જેમ દેવદાસ તેમજ અમિતની જેમ ડૉનનો રોલ પણ કર્યો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
