અમિતાભ સાથે સત્યાગ્રહ કરી ધન્યતા અનુભવતાં અમૃતા
ભોપાલ, 26 ફેબ્રુઆરી : અમૃતા રાવ ઘણા વખત બાદ પુનઃ એક વાર ખૂબ જ મજબૂત અને જુદા પ્રકારના પાત્રમાં નજરે પડનાર છે. સમાચાર છે કે પ્રકાશ ઝાની આવનાર ફિલ્મ સત્યાગ્રહમાં અમિતાભ બચ્ચન અને કરીના કપૂર સાથે અમૃતા રાવ પણ એક મહત્વની ભૂમિકા ભજવતાં નજરે પડનાર છે. અમૃતા રાવના મોટાભાગના દૃશ્યો અમિતાભ બચ્ચન સાથે જ શૂટ કરાયાં છે અને આ વાતથી અમૃતા રાવ ખૂબ જ ખુશ છે.
અમૃતા રાવે સત્યાગ્રહ ફિલ્મમાં પોતાના રોલ અંગે ખુલાસો કરતાં જણાવ્યું - અમે ભોપાલમાં શૂટિંગ કરી રહ્યાં છીએ. હું ખૂબ જ ધન્યતા અનુભવી રહી છું કે સત્યાગ્રહમાં મારા મોટાભાગના દૃશ્યો અમિતાભ બચ્ચન સાથે છે. સાચુ કહું તો મારા 99 ટકા દૃશ્યો તેમની સાથે જ છે. આ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવી બાબત છે. મને ફિલ્મ અને પોતાની ભૂમિકા અંગે વધુ બોલવાની સંમતિ નથી, પરંતુ બસ એટલું કહી શકું કે ખૂબ જ શાનદાર રોલ છે. અમે અહીં દસ દિવસનું શૂટિંગ કરી ચુક્યાં છે. અહીં 55 દિવસથી વધુ શૂટિંગ ચાલશે.
અમતા રાવે અત્યાર સુધીના પોતાના કૅરિયરમાં વિવાહ તથા મૈં હૂં ના જેવી મોટી અને સફળ ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાં અમૃતા રાવે ખૂબ જ મજબૂત અને શ્રેષ્ઠ રોલ કર્યાં છે. બંને ફિલ્મોમાં તેમની એક્ટિંગના ખૂબ વખાણ પણ થયા હતાં, પરંતુ પછી આવેલી તેમની અનેક ફિલ્મો બૉક્સ ઑફિસ પિટાઈ ગઈ. હવે જોઇએ કે અમિતાભ સાથે સત્યાગ્રહ કર્યા બાદ અમૃતા રાવના કૅરિયરમાં શો ફેર પડે છે? એમ પણ અમિતાભ સાથે કામ કરવાનું સ્વપ્ન તો દરેક એક્ટરનું હોય છે. અમૃતાને અમિતાભ સાથે ફિલ્મ કરવાની તક મળી, તે અમૃતા માટે અને તેમના કૅરિયર માટે સાચે જ ખૂબ સારી બાબત છે.