For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતના સુસાઈડના 20 દિવસ બાદ પણ અંકિતાના આંસુ નથી અટકી રહ્યા

સુશાંતના નિધનના 20 દિવસ બાદ પણ અંકિતાની શું હાલત છે તેનો ખુલાસો તેની દોસ્ત આરતી સિંહે કર્યો છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી જ અંકિતા લોખંડેની હાલત ગંભીર છે. અંકિતા અને સુશાંત વચ્ચે 7 વર્ષ સુધી સંબંધ રહ્યો છે. બે વર્ષ પહેલા જ બંનેનુ બ્રેકઅપ થયુ છે. પરંતુ બંને વચ્ચેની દોસ્તી ક્યારેય ખતમ નહોતી થઈ. બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે વાતચીત ચાલુ રહી હતી. પરંતુ સુશાંતનુ આ રીતે દુનિયામાંછથી જતુ રહેવુ, આ સચ્ચાઈને અંકિતા લોખંડે હજુ સ્વીકારી શકતી નથી. હાલમાં સુશાંતના નિધનના 20 દિવસ બાદ પણ અંકિતાની શું હાલત છે તેનો ખુલાસો તેની દોસ્ત આરતી સિંહે કર્યો છે. બિગ બૉસ 13 ફેમ આરતી સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે જ્યારથી સુશાંત સિંહનુ મોત થયુ છે, અંકિતા પોતાના આંસુ નથી રોકી શકતી. બંને એકબીજા સાથે સાત વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા છે. આરતીએ જણાવ્યુ કે તેણે અંકિતાનો સંપર્ક કર્યો હતો. તેની ખબર પૂછવા માટે.

જ્યારે પણ અંકિતા સાથે વાત થાય છે એ રડવા લાગે છે

જ્યારે પણ અંકિતા સાથે વાત થાય છે એ રડવા લાગે છે

આરતીએ જણાવ્યુ કે હું સુશાંતને અંકિતાના કારણે જાણતી હતી. એ ખૂબ જ સારો છોકરો હતો. પ્રેરણાથી ભરપૂર હતો સુશાંત. મે અંકિતાને આ વિશે પૂછ્યુ કે શું તે હવે ઠીક છે. અંકિતાને પોતાની સ્પેસ જોઈએ. મારે એને એ સ્પેસ આપવી જોઈએ. થોડા દિવસ પહેલા જ્યારે અંકિતા વિશે સંદીપ સિંહે એક ઈન્ટરવ્યુમાં વાત કરી હતી ત્યારે કહ્યુ હતુ કે જ્યારે પણ અંકિતા સાથે તેની વાત થાય છે તે રડવા લાગે છે. અંકિતા ઘણી ભાવુક છે. અંકિતા અને સુશાંત વચ્ચે 7 વર્ષની રિલેશનશિપ રહી છે.

માની જેમ ધ્યાન રાખતી

માની જેમ ધ્યાન રાખતી

સંદીપે એક ઈન્ટરવ્યુમાં વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યુ કે અંકિતા તેમના અંતિમ સંસ્કારમાં પણ શામેલ થવા ઈચ્છતી હતી પરંતુ પરિવારને તેની ખરાબ હાલતને જોઈને તેને જવાની મંજૂરી ના આપી. સંદીપે જણાવ્યુ કે અંકિતાને ઉંડો શોક લાગ્યો છે. અંકિતા તેની ગર્લફ્રેન્ડ નહોતી. તેમની માની જેમ ધ્યાન રાખતી હતી. ઈન્ડસ્ટ્રીમાં મને 20 વર્ષ થઈ ગયા. અંકિતા જેવી છોકરી મે નથી જોઈ. સુશાંતનો ખ્યાલ માત્ર અંકિતા રાખી શકતી હતી. તે એવા કામ કરતી જે સુશાંતને સારા લાગે.

સુશાંત એકદમ હસમુખ અને બિન્દાસ રહેતા હતા

સુશાંત એકદમ હસમુખ અને બિન્દાસ રહેતા હતા

વિકાસ ગુપ્તાએ પણ કહ્યુ હતુ કે અંકિતા જ્યાં સુધી સુશાંત સાથે હતી ત્યાં સુધી સુશાંત એકદમ હસમુખ અને બિન્દાસ રહ્યા. અંકિતાની હિંમતના કારણે જ સુશાંતે યશરાજ ફિલ્મ્સની ઔરંગઝેબને ના પાડી હતી. અંકિતાના કારણે તે ટેન્શનથી દૂર રહેતો હતો કારણકે અંકિતાને જોઈને ટેન્શન દૂર ભાગી જતુ હતુ.

16 એવી વસ્તુઓ જે ખાવાથી બેડ પર ઝડપથી વધશે તમારી એનર્જી

English summary
Ankita lokhande condition is not good after Sushant singh rajput revealed by Aarti singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X