મલાઈકા અરોરાને ડેટ કરીને અર્જુન કપૂરને થઈ રહ્યો છે પસ્તાવો? બ્રેકઅપના સમાચાર વચ્ચે વાયરલ થઈ પોસ્ટ
Arjun Kapoor Cryptic Post: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફેન્સના સૌથી પ્રિય કપલમાંથી એક છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ કપલના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ અર્જુન કપૂરે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો પરંતુ મલાઈકા અરોરાએ પાર્ટીમાં હાજરી આપી ન હતી.
26 જૂને અર્જુન કપૂરે મોડી રાતે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. પરંતુ અભિનેતાની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા ગાયબ રહી. આ કપલના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ દરમિયાન, હવે અર્જુન કપૂરે એક રહસ્યમય સંદેશ શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કરતાં અર્જુન કપૂરે લખ્યું, "અફસોસની પીડા કરતાં અનુશાસનની પીડા સારી છે." અભિનેતાએ આ પોસ્ટ શેર કરતાની જ મિનિટોમાં તે વાયરલ થઈ ગઈ. એટલું જ નહીં, હવે અભિનેતાની આ પોસ્ટ બાદ ફરી એકવાર મલાઈકા સાથેના તેના બ્રેકઅપની અફવાઓ ઉડવા લાગી છે.
બોલિવૂડનું આ કપલ તેમના બ્રેકઅપને લઈને ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, મલાઈકા અને અર્જુન અલગ થઈ ગયા છે. બંને આ બાબતને અત્યારે જાહેર કરવા માંગતા નથી. જ્યારે મલાઈકાના મેનેજરે પણ બ્રેકઅપની અફવાઓને ફગાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થયું નથી, આ માત્ર એક અફવા છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના સંબંધોને જાહેર કર્યા હતા. તે પછી બંને અવારનવાર એકબીજા સાથે રોમેન્ટિક ફોટા શેર કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કપલ એકસાથે જોવા મળતું નથી અને તેઓએ ફોટો શેર કરવાનું પણ બંધ કરી દીધું છે અને ઓછું કરી દીધું છે. જે બાદ કેટલાક મહિનાઓથી સતત બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
