રીમેક ફિલ્મોનું સમર્થન કરતાં અર્જુન કપૂર
મુંબઈ, 11 મે : બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર કહે છે કે તેમના પિતા નિર્માતા બોની કપૂરે અનેક ફિલ્મોની રીમેક બનાવી રુપિયા કમાવ્યાં છે. તેમને પણ પોતાના પિતાની રીમેક ફિલ્મોમાં કરવું ગમશે. બોની કપૂર બૉલીવુડના જાણીતાં ફિલ્મ નિર્માતા છે, પણ અર્જુને પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત યશ રાજ ફિલ્મ્સની ઇશકઝાદે દ્વારા કરી અને તેમની આગામી ફિલ્મ ઔરંગઝેબના નિર્માતા પણ વાયએરએફ જ છે.

બોની કપૂર તથા તેમના પ્રથમ પત્ની મોના સુરીના 27 વર્ષીય પુત્ર અર્જુને જણાવ્યું - હું મારા પિતાની શક્તિ તેમજ તેમની મૂડી બનવા માંુ છું. હું તેમની નબળાઈ કે મજબૂરી બનવા નથી માંગતો કે તેમને મારા માટે ફિલ્મો બનાવવી પડે. મારી ઇચ્છા છે કે મારા પિતા તેમની પસંદની ફિલ્મો બનાવે અને હું તેમાં કામ કરું. તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોની હિન્દી રીમેક બનાવનાર પ્રસિદ્ધ નિર્માતા છે.
અર્જુન કપૂર પોતાના પિતાની આવનાર રીમેક ફિલ્મમાં કામ કરશે. બોની કપૂર તેલુગુ ભાષાની સફળતમ ફિલ્મ પોકિરીની હિન્દી રીમેક વૉન્ટેડ બનાવી ચુક્યાં છે કે જેમાં સલમાન ખાન લીડ રોલમાં હતાં.
રીમેક ફિલ્મોની સંસ્કૃતિ અંગે અર્જુન કપૂર કહે છે - મારા પિતાએ રીમેક ફિલ્મો બનાવી અઢળક રુપિયા કમાવ્યાં છે. જ્યારે આપની પાસે ફિલ્મ બનાવવા માટે કોઈ મૂળ કહાની ન હોય, તો હું ફિલ્મોની રીમેક બનાવવામાં ખોટું નથી જોતો. જો આપને લાગે છે કે કોઈ ફિલ્મની વાર્તાને વધુ મોટા પરિપ્રેક્ષ્યમાં પુનઃ બનાવી શકાય છે, તો આપે તેમાં પોતાના વિચાર અને અભિગમ જોડી રીમેક બનાવવી જ જોઇએ.
ફિલ્મી પૃષ્ઠભૂમિ હોવા છતાં અર્જુન કપૂરે ફિલ્મ જગતામાં પોતાની મહેનત તેમજ પ્રતિભાના બળે કામ હાસલ કર્યું. તેમના દાદા સુરિન્દર કપૂર ફિલ્મ નિર્માતા હતાં. કાકા અનિલ કપૂર, સંજય કપૂર, ઓરમાન માતા શ્રીદેવી પણ બૉલીવુડના જાણીતાં નામો છે. અર્જુને જણાવ્યું - આ મારી પોતાની યાત્રા છે. મને લાગે છે કે તે બહુ ખોટું છે કે કોઈ મારા જીવનને માત્ર એટલા માટે સરળ સમજી લે, કારણ કે હું એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવુ છું. દરેકના જીવનમાં પડકારો હોય છે અને મારા જીવનમાં પણ છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
