For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર પીડિત પત્ની માટે આયુષ્માન ખુરાનાએ રાખ્યું કરવાચોથનું વ્રત

કેન્સર પીડિત પત્ની માટે આયુષ્માને રાખ્યું કરવાચોથનું વ્રત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શનિવારે જ્યાં મોટાભાગની મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવાચોથનું વ્રત રાખી રહી છે, ત્યારે એક્ટર, સિંગર આયુષ્માન ખુરાનાએ પણ પોતાની પત્નીની લાંબી ઉંમર માટે વ્રત રાખ્યું છે. આયુષ્માને કેન્સર સામે લડી રહેલ પોતાની પત્ની તાહિરા માટે શનિવારે વ્રત રાખ્યું છે. આયુષ્માને ટ્વિટર પર મેસેજ શે કરી આના વિશે જાણકારી આપી હતી.

ટ્વિટર પર શેર કર્યો હાથનો ફોટો

ટ્વિટર પર શેર કર્યો હાથનો ફોટો

આયુષ્માન ખુરાનાએ શનિવારે ટ્વિટર પર પોતાના હાથનો ફોટો શેર કર્યો છે. આયુષ્માને હથેળી પર મહેંદીથી પત્નીનું નામ તાહિરા કશ્યપનો પહેલો અક્ષર 'ત' લખ્યો છે, સાથે જ જણાવ્યું કે 'ત'નો મતલબ તાહિરા છે. આયુષ્માને લખ્યું, તાહિરા આ વખતે વ્રત નથી રાખી શકતી પરંતુ તેનાં સારાં સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે હું વ્રત રાખી રહ્યો છું.

તાહિરાને થયું કેન્સર

તાહિરાને થયું કેન્સર

આયુષ્માનની પત્ની તાહિરાને બ્રેસ્ટ કેન્સર છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે. ખુદ તાહિરાએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગે જાણકારી આપી હતી. તાહિરાએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે તેને બ્રેસ્ટ કેન્સર છે, જેની તેમણે સર્જી કરાવી છે. તાહિરાએ હોસ્પિટલથી પોતાની તસવીરો પણ શેર કરી હતી. તાહિરા અને આયુષ્માને 2011માં લગ્ન કર્યાં હતાં. એમને બે બાળકો પણ છે.

ફિલ્મોમાં છવાયા છે આયુષ્માન

ફિલ્મોમાં છવાયા છે આયુષ્માન

આયુષ્માન ખુરાનાનું ફિલ્મ કરિયર આ દિવસોમાં મસ્ત ચાલી રહ્યું છે, તાજેતરમાં જ તેની બે ફિલ્મ 'અંધાધૂન' અને 'બધાઈ' રિલીઝ થઈ છે. બંને ફિલ્મો સફળ રહી છે. બંને ફિલ્મોએ સારી કમાણી પણ કરી છે અને સમીક્ષકોએ પણ ફિલ્મોનાં વખાણ કર્યાં છે.

ક્યારે છે કરવાચોથ? જાણો પૂજાનો સમય, મુહૂર્ત અને વિધિક્યારે છે કરવાચોથ? જાણો પૂજાનો સમય, મુહૂર્ત અને વિધિ

English summary
Ayushmann Khurrana Karwa Chauth fastfor wife Tahira long life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X