બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી
સુશાંતના પિતા કે કે સિંહે સમગ્ર મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે.
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર દાખલ કર્યા બાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસ સાથે જોડાયેલા ઘણા લોકો મીડિયામાં સામે આવી નિવેદનો આપી રહ્યા છે. સુશાંતના ફેન્સ સતત સીબીઈઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. વળી, બિહાર પોલિસ પણ હવે સુશાંત કેસની તપાસ કરી રહી છે જેમાં કહેવાઈ રહ્યુ છે કે મુંબઈ પોલિસ તેમનો સહયોગ કરતી નથી. વળી, આ કેસમાં નવો વળાંક આવ્યો છે સુશાંતના પિતા કે કે સિંહે સમગ્ર મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે કહ્યુ હતુ કે સુશાંતના પિતા આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરશે તો અમે તેમના પ્રસ્તાવને આગળ મૂકીશુ. સુશાંતની બહેન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનુ શબ 14 જૂને તેમના ઘરમાં લટકતુ મળ્યુ હતુ. તેમણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેમના મોત બાદથી તેમના ફેન્સ આરોપ લગાવી રહ્યા છે કે સુશાંતને આના માટે મજબૂર કરવામાં આવ્યો, તેમના પર દબાણ હતુ જેના કારણે તેમણે આ પગલુ લીધુ.
નીતિશ કુમારે કહ્યુ કે જો સુશાંતના પિતા કે જેમણે આ કેસમાં એફઆઈઆર નોંધાવી છે તે સીબીઆઈ તપાસની માંગ કરે તો તેમની સરકાર આ કેસની તપાસ સીબીઆઈ તપાસ કરાવવા માટે ગૃહ મંત્રાલયને કહી શકે છે. એફઆઈઆર નોંધાયા બાદ બિહાર પોલિસની એ જવાબદારી છે કે તે કેસની તપાસ કરે અને તે એ કરી રહી છે. સુશાંતના પિતાએ એફઆઈઆર નોંધાવી છે માટે મુંબઈ પોલિસે બિહાર પોલિસને સહયોગ આપવો જોઈએ. બિહાર પોલિસ આ સમગ્ર કેસની પૂરી ઈમાનદારી અને ગંભીરતાથી તપાસ કરી રહી છે. પરિવારને ન્યાય મળવો જોઈએ.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
