Breaking: બૉલીવુડે ગુમાવ્યો સુપર સ્ટાર, 54 વર્ષી ઈરફાન ખાનનું નિધન
Breaking: બૉલીવુડે ગુમાવ્યો સુપર સ્ટાર, 54 વર્ષી ઈરફાન ખાનનું નિધન
બૉલીવુડ એક્ટર ઈરફાન ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. મંગળવારે કોલન ઈન્ફેક્શનને પગલે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યને લઈ વિવિધ પ્રકારની અફવાઓ વાયરલ થઈ હતી. જો કે તેમની ટીમે કહ્યું હતું કે તેઓ સ્ટ્રોન્ગ છે અને લડી રહ્યા છે. બુધવારે મળેલા અહેવાલો મુજબ ઈરફાન ખાનનું નિધન થઈ ગયું છે. ફિલ્મમેકર શૂજિત સરકારે ટ્વીટ કરી તેમના પરિવારને સાંત્વના આપી છે.
જણાવી દઈએ કે 2018માં ઈરફાન ખાનને ન્યૂરોઈંક્રાઈન ટ્યૂમર હોવાનું માલુમ પડ્યું હતું. લંડનમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જે બાદ તેમની તબિયતમાં સુધારો થયા બાદ તેઓ ભારત પાછા આવી ગયા હતા. ગત દિવસોમાં તેમની માતાનું નિધન થયું હતું. લૉકડાઉનને કારણે ઈરફાન ખાન તેમના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતા થઈ શક્યા.
સ્કિપ થઈ ગઈ હતી કેમોથેરાપી
ઈરફાન ખાનના નજીકના લોકો જણાવે છે કે ફિલ્મ અંગ્રેજી મીડિયમના શૂટિંગ દરમિયાન ઈરપાન ખાનને એક કીમો થેરાપી કરાવવાની હતી, પરંતુ શૂટિંગને પગલે તેમની ટ્રીટમેન્ટ સ્કિપ થઈ ગઈ. આ કારણે જ પિલ્મ શૂટિંગ દરમિયાન પણ તેમને કેટલીય તકલીફ થતી હતી. 2 મહિના પહેલા એટલે કે હોળી પહેલા તેમની તબિયત ફરીથી બગડી ગઈ હતી, જે બાદથી તેમની તબિયત વારંવાર બગડતી રહી. હજી 10 દિવસ પહેલા જ તેમની પરેશાની વધી ગઈ હતી, ત્યારે તેમને કોકિલાબેનમાં એડમિટ કરાવવામાં આવ્યા. આ વખતે હોસ્પિટલમાં તેઓ પોતાની બીમારીને લઈ ઘણો સંઘર્ષ કરી રહ્યા હતા.
2018થી ઈલાજ ચાલી રહ્યો હતો
જણાવી દઈએ કે 2018માં ઈરફાન ખાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યૂમર હોવાનું માલું પડ્યું હતું. લંડનમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. જે બાદ તેમની તબીયતમાં સુધારો થયા બાદ તેઓ પાછા ભારત આવી ગયા હતા.
કોકિલાબેનમાં ચેકઅપ કરાવતા હતા
લંડનથી ઈલાજ કરાવીને ભારત આવ્યા બાદ ઈરફાન ખાન કોકિલાબેન હોસ્પિટલના ડૉક્ટર્સની દેખરેખમાં જ ઈલાજ કરાવી રહ્યા હતા. પાછલા કેટલાય મહિનાથી તેઓ આ હોસ્પિટલે જ રૂટીન ચેકઅપ પણ કરાવતા રહ્યા છે.
Big Boss વિજેતાએ છત પર કર્યાં લગ્ન, પૈસા બચાવી પીએમ કેર ફંડમાં દાન કર્યુંઃ Video