સુચિત્રા ટૂ બાલચંદર : આ સાત હસ્તીઓને સાથે લઈ ગયું વર્ષ 2014
મુંબઈ, 29 ડિસેમ્બર : ભારતીય સિનેમા અને તેમાં પણ દક્ષિણ ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે બાલચંદરનું તાજેતરમાં જ નિધન થઈ ગયું. તે અગાઉ અંકુર સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કૉમેડી કરી ચુકેલા મહાન કૉમેડિયન દેવેન વર્મા આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. આમ વર્ષ 2014 જઈ તો રહ્યું છે, પરંતુ તે તેની સાથે અનેક સારા કલાકારોને પણ લઈ જઈ રહ્યું છે.
કે બાલચંદર તો એવી હસ્તી હતાં કે જેમણે સાઉથર્ન સિનેમાના ભગવાન કહેવાતા રજનીકાંત તથા કમલ હસન અને હવા હવાઈ ગર્લ શ્રીદેવીનું ફિલ્મી કૅરિયર બનાવ્યુ હતું. એક દૂજે કે લિયે ફિલ્મ બૉલીવુડ ક્યારેય ભુલાવી શકે ખરૂં કે જે કે બાલચંદરે બનાવી હતી? તો બીજી બાજુ દેવેન વર્મા એવી મહાન હસ્તી હતાં કે જેમને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભુલી ન શક્યાં. તેમણે પણ દેવેનના નિધન પર ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
ચાલો તસવીરો સાથે જાણીએ વર્ષ 2014માં આપણને અલવિદા કહેનાર ફિલ્મી હસ્તીઓ વિશે :

કે બાલચંદર
રજનીકાંત, કમલ હસન અને શ્રીદેવીનું ફિલ્મી કૅરિયર બનાવનાર તથા અનેક સુપર હિટ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક કે બાલચંદરનું તાજેતરમાં જ નિધન થઈ ગયું. વર્ષ 2014ને પૂર્ણ થવામાં જોકે હજી 3 દિવસ બાકી છે, પરંતુ છેલ્લે-છેલ્લે તે પોતાની સાથે મહાન ફિલ્મી હસ્તી કે બાલચંદરને લેતુ ગયું.

દેવેન વર્મા
વેટરન બૉલીવુડ કૅરેક્ટર એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને કૉમેડિયન દેવેન વર્માનું આ માસના આરંભે જ નિધન થઈ ગયું. તેઓ 77 વર્ષના હતાં.

રવિ ચોપરા
તે અગાઉ ચોપરા ખાનદાનમાંથી આવતા રવિ ચોપરાનું 12મી નવેમ્બરે નિધન થયું. તેઓ 68 વર્ષના હતાં.

સદાશિવ અમરાપુરકર
3જી નવેમ્બરના રોજ સદાશિવ અમરાપુરકરનું નિધન થઈ ગયું. હુકૂમતમાં ડીવીડીએનનું અમર પાત્ર ભજવનાર સદાશિવે અનેક હિન્દી ફિલ્મોમાં શાનદાર રોલ કર્યા હતાં. સડકની મહારાણીનો રોલ તેમનો યાદગાર રોલ કહી શકાય.

ઝોહરા સહેગલ
102 વર્ષીય ઝોહરા સહેગલે 10મી જુલાઈ, 2014ના રોજ છેલ્લા શ્વાસ લીધાં. બૉલીવુડની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી.

નંદા
બૉલીવુડ અભિનેત્રી નંદાનું 25મી માર્ચના રોજ નિધન થયું. તેઓ 75 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયાં.

સુચિત્રા સેન
સુચિત્રા સેનનું હૃદય રોગના હુમલાના કારણે 17મી જાન્યુઆરીના રોજ નિધન થયુ હતું. તેઓ 82 વર્ષના હતાં.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
