સલમાન જેલમાં જાય, સ્વર્ગમાં જાય કે નર્કમાં જાય.. મારે શુ લેવાદેવા!
સલમાન ખાન કાળા હરણના મામલે જોધપુર કોર્ટમાંથી આઝાદ થઇ ચુક્યા છે અને ટ્વિટર પર ફરી એકવાર ચર્ચા શરૂ થઇ ચુકી છે. આમ જોવા જઈએ તો ચોંકવા જેવી કોઈ જ વાર નથી. કારણકે જો સલમાન ખાન એક માણસ પાર ગાડી ચલાવવાના મામલે આઝાદ થઇ શકતા હોય તો પછી હરણ શુ છે, એવું ટ્વિટર પર લોકો કહી રહ્યા છે.
એબીપી ન્યૂઝ ઘ્વારા ફિલ્મી હસ્તીઓને કેસના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું તો ફરી એકવાર સિંગર અભિજીતે જે પણ કહ્યું તે ચોંકાવી નાખે તેવું છે. અભિજીતે એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સલમાન જેલમાં જાય, નર્કમાં જાય કે પછી સ્વર્ગમાં જાય તેનાથી તેને કોઈ જ લેવાદેવા નથી.
અભિજીતે આગળ કહ્યું કે તેઓ સલમાન ખાનના ફેન નથી તેમની ફિલ્મો પણ જોતા નથી. તેમને કહ્યું કે તેમની એક ટવિટથી તેમની છબી ખરાબ થઇ હતી. પરંતુ કોઈ પણ સ્ટાર હોઈ સલમાન ખાન, આમિર ખાન કે પછી શાહરુખ ખાન તેઓને કોઈની પણ પરવાહ નથી.
જાણો આગળ કોણે શુ કહ્યું...

જાણો કોણે શુ કહ્યું
અભિજીતે કહ્યું કે સલમાન ખાન ના આઝાદ થવાથી તેમની ખુશી પણ નથી કે દુઃખ પણ નથી.

સલીમ ખાન
સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષથી આ મામલે ચૂપ રહ્યા છે તો આગળ પણ ચૂપ જ રહેશે.

રઝા મુરાદ
અભિનેતા રઝા મુરાદે કહ્યું કે એક સારો નિર્ણય છે. હવે સલમાન ખાન લગ્ન કરીને સેટલ થઇ શકે છે.

ઓમપુરી
ઓમપુરીએ સલમાન ખાનને આઝાદ કરવાના મામલે ખુશી દર્શાવી છે. પરંતુ આટલા વર્ષ લેવા માટે ચિંતા પણ જણાવી છે.
|
Ram Gopal Varma
રામ ગોપાલ વર્મા એ પણ પોતાના વિચારો ટ્વિટર પર જણાવ્યા.
|
અર્પિતા ખાન
અર્પિતા ખાને પણ પોતાના ભાઈ માટે પ્રાર્થના કરી












Click it and Unblock the Notifications
