#IstanbulAttack: પ્રોડ્યૂસરના મુત્યુ પર બોલિવૂડે શોક વ્યક્ત કર્યો
ઇસ્તંબુલ અટેકમાં બોલિવૂડના ફિલ્મ પ્રોડ્યૂસર અબીસ રિઝવીનું મજત્યુ થતાં બોલિવૂડે શોક વ્યક્ત કર્યો.
ઇસ્તંબુલના લોકો માટે ન્યૂ યરની રાત કાળરાત્રિ બની રહી. ઇસ્તંબુલમાં ન્યૂ યરના સેલિબ્રેશનમાં એક નાઇટ ક્લબમાં કેટલાક અાતંકવાદીઓએ ઓપન ફાયરિંગ કર્યું હતું. આ આતંકવાદી હુમલામાં 39 લોકોનું મૃત્યુ થયું હતું, જેમાંના 2 ભારતીય નાગરિક હતા. સાથે જ ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા હતા.
આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પમેલા બે ભારતીયો નાગરિકોમાંના એક છે અબીસ રિઝવી, જે બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર હતા. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું છે, ઇસ્તંબુલ હુમલામાં 2 ભારતીય નાગરિકોનું પણ મૃત્યુ થયું છે. પૂર્વ રાજ્યસભા સાંસદના પુત્ર અબીસ રિઝવી અને ગુજરાતની ખુશી શાહનું આ હુમલામાં મૃત્યુ થયું છે.
અહીં વાંચો-ઇસ્તંબુલ હુમલાનો ભોગ બનેલી ખુશી શાહનો મૃતદેહ મેળવવા બે ભાઇ રવાના
અબીસ રિઝવીના મૃત્યુ પર બોલિવૂડે પણ શોક વ્યક્ત કર્યો છે. ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર, રણદીપ હુડા, પૂનમ ઢિલ્લોન, પૂજા ભટ્ટ, જાવેદ જાફરી સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટિઝે શોક વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, પ્રોડ્યૂસર અબીસ રિઝવી સુંદરવન જંગલો પર બનેલી પોતાની ફિલ્મ 'રોરઃ ટાઇગર્સ ઓફ ધ સુંદરવન'ને લીધે ચર્ચામાં આવ્યા હતા.