જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર જગદીશ માલીનું નિધન
મુંબઈ, 13 મે : જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર તથા અભિનેત્રી અંતરા માલીના પિતા જગદીશ માલીનું સોમવાર સવારે નિધન થઈ ગયું. તેઓ 60 વરસના હતાં. જગદીશ માલીએ મુંબઈના નાણાવટી હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
અસ્પતાલ સૂત્રોના જણાવ્યા મુજબ - હા, જગદીશ માલીનું સોમવારે સવારે નિધન થઈ ગયું. તેમના નિધનનું કારણ જાણવા મળ્યું નથી અને તેમના કોઈ સંબંધીએ પણ તેનો ખુલાસો કર્યો નથી.
ફિલ્મકાર અશોક પંડિતે જગદીશ માલીના મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતાં ટ્વિટર ઉપર લખ્યું - પ્રસિદ્ધ ફોટોગ્રાફર જગદીશ માલીનું સોમવારે સવારે 11.20 વાગ્યે નાણાવટી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. આપણને તેમની ઉણપ સાલશે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.
જગદીશ માલી ગત જાન્યુઆરીમાં ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેઓ મુંબઈના માર્ગ ઉપર અસ્ત-વ્યસ્ત અને મતિભ્રમ અવસ્થામાં મળ્યા હતાં. સલમાન ખાને તેમને પોતાના ઘરે લઈ જઈ આસરો આપ્યો હતો.