બોમને બૂમો પાડી કહ્યું : મારા પુત્રે કોઈ કૌભાંડ નથી કર્યું!
મુંબઈ, 9 જાન્યુઆરી : ક્યૂનેટ કૌભાંડમાં પોતાના પુત્રનું નામ આવતા ભડકી ઉઠ્યાં છે અભિનેતા બોમન ઈરાની. બોમને બૂમો પાડતા જણાવ્યું કે તેમના પુત્રે કોઈ ખોટુ કામ નથી કર્યું. આ સંદર્ભે બોમને એક ઔપચારિક પત્ર લખી સ્પષ્ટતા કરી છે કે તેમના પુત્રે કંઈ પણ ખોટુ કામ નથી કર્યું. તેમને કોઈ તપાસ માટે બોલાવાયાં નથી, પણ જો બોલાવવામાં આવશે, તો તેઓ જરૂર જશે, કારણ કે તેઓ અને તેમનો પરિવાર કાનૂનનું પાલન કરે છે અને કાનૂન ઉપર ભરોસો ધરાવે છે.
ગુરપ્રીતે જણાવ્યું છે કે બોમનના પુત્ર દાનિશે કરોડો રુપિયા આ કૌભાંડમાં કમાવ્યાં છે. જોકે બોમન ઈરાનીનું નામ આ કૌભાંડમાં નામ નથી. પોલીસ દાનિશના બૅંક ઍકાઉંટ્સની તપાસ કરી રહી છે. ગુરપ્રીતે જણાવ્યું કે બોમન ઈરાની પોતે ક્યૂનેટ સાથે જોડાયેલા હતાં. તેથી બોમનના નામે લોકો પણ ક્યૂનેટ સાથા જેડોયાં, પરંતુ બોમન જેવા પ્રામાણિક વ્યક્તિના પુત્ર દાનિશની દાનત બગડી. ગુરપ્રીતે જણાવ્યું કે દાનિશ ઈરાની સાથે બોમન ઈરાનની કોઈ ભૂમિકા જોડાયેલી નથી.
મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ દ્વારા બોમન ઈરાનીએ બૉલીવુડમાં ખાસ ઓળખ બનાવી છે. તે પછી તેઓ લગે રહો મુન્નાભાઈ અને 3 ઈડિયટ્સ જેવી સફળ ફિલ્મો દ્વારા બૉલીવુડમાં રાતોરાત સ્ટારબની ગયાં. આજકાલ બોમન ઈરાની ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના કારણે ચર્ચામાં છે કે જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે તેમજ અભિષેક બચ્ચન પણ છે.