Chahal-Dhanashree Divorce : શ્રેયસ અય્યરના કારણે ચહલ-ધનશ્રીના ડિવોર્સ થયા? જાણો શું છે ડિવોર્સનું સાચુ કારણ?
Chahal-Dhanashree Divorce : ભારતીય સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે બધુ ઠીક ન હોવાના અહેવાલો છે. સમાચારો અનુસાર બન્ને જલ્દી ડિવોર્સ લઈ શકે છે.
હાલમાં જ બન્નેએ એકબીજાને સોશિયલ મીડિયા પર શેર કરી દીધા છે. આ સિવાય બન્નેએ ઘણા ફોટો પણ હટાવી દીધા છે, જેમાં બન્ને સાથે હતા.

બન્નેના આ પગલા બાદ ચર્ચા શરૂ થઈ છે કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ જલ્દી ડિવોર્સ લઈ શકે છે. જો કે ડિવોર્સનું સાચુ કારણ કોઈને ખબર નથી.
હાલમાં જ યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ પોસ્ટ કરી છે, જેનાથી ચાહકોમાં વધુ પ્રશ્નો ઉભા થયા છે. તેની આ પોસ્ટને સંબંધોમાં ખટાશની નિશાની તરીકે જોવામાં આવી રહી છે.
આ ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માનું નામ યુઝવેન્દ્ર ચહલના સાથી ક્રિકેટર શ્રેયસ ઐયર સાથે જોડાઈ રહ્યું છે. આ ચર્ચા 2021 માં તેમના એક ડાન્સ વિડિઓ પછી શરૂ થઈ હતી.ધનશ્રી વર્મા ઇન્સ્ટાગ્રામ પર શ્રેયસ ઐયરને ફોલો કરી રહી છે તો બીજી તરફ તેણે યુઝવેન્દ્ર ચહલને અનફોલો કરી દીધો છે. જો કે, ધનશ્રી બીજા ઘણા ક્રિકેટરોને પણ ફોલો કરે છે.
IPL 2025 માં પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલ અને શ્રેયસ ઐયર બંનેને ટીમમાં સામેલ કર્યા બાદ મામલો ફરી ગરમાયો હતો. ચાહકોએ સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી વાતો કહી હતી. શ્રેયસ ઐયર અને ધનશ્રી વર્માએ આ અફવાઓ પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં આ મામલો કઈ દિશામાં જાય છે.












Click it and Unblock the Notifications
