‘નવ વર્ષ અગાઉ સ્ફુર્યો હતો ચક્રવ્યૂહનો વિચાર’
મુંબઈ, 25 ઑક્ટોબર : દશેરાના દિવસે રિલીઝ થયેલ ચક્રવ્યૂહ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાએ જણાવ્યં કે તેમને નક્સલી સમસ્યા પર બનેલી આ ફિલ્મ બનાવવાનો વિચાર વર્ષ 2003માં સ્ફુર્યો હતો. આ વિચારને તેઓ હવે અંજામ આપી શક્યાં છે. પ્રકાશ ઝાએ જણાવ્યું કે તેઓ ઇચ્છતા હતાં કે લોકો તેમની આ ફિલ્મ વડે દેશની આ જ્વલંત અને ગંભીર સમસ્યાને સમજે. નક્સલી સમસ્યાએ આજે દેશમાં વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે.

પ્રકાશ ઝાએ જણાવ્યું કે પરંતુ તેઓની ઇચ્છા છે કે તેઓ પણ બીજા નિર્માતા-દિગ્દર્શકોની જેમ 100 કરોડ રુપિયા કમાવે. ઝાએ બીબીસી સાથે આ અંગે સ્મિત સાથે જણાવ્યું કે દરેકની ઇચ્છા હોય કે તે પૈસા કમાવે. જો હું કરોડોની વાત કરૂં, તો તેમા આશ્ચર્ય પામવા જેવું નથી.
આપને જણાવી દઇએ કે પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ ચક્રવ્યૂહ નક્સલી સમસ્યા પર આધારિત છે. ફિલ્મમાં અભય દેઓલ, અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા, ઓમ પુરી, મનોજ બાજપાઈ, અંજલિ પાટિલ, ચેતન પંડિત, સમીરા રેડ્ડી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ તેવા લોકોને ગમશે કે જેઓ બૌદ્ધિક રીતે વિચારે છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
