Chandrayaan 3 ફિલ્મ બનાવવાની જાહેરાત, મિશન મંગલના ડિરેક્ટર ફિલ્મ બનાવશે
એક તરફ ચંદ્રયાન 3ની સફળતાની દુનિયાભરમાં ઉજણવી થઈ રહી છે ત્યારે બોલિવૂડમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. મિશન મંગલ બનાવનારા ડિરેક્ટરે ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, બહુ જલ્દી સિનેમાઘરોમાં ચંદ્રયાન 3 ની સફળતાની કહાની મોટા પડદે જોવા મળી શકે છે. આ જાણકારી ફિલ્મ મિશન મંગલ બનાવનારા જગન શક્તિએ આપી છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે ચંદ્રયાનની સફળતા પર ખુશી વ્યક્ત કરતા આ વાતના સંકેત આપ્યા છે. ફિલ્મ બનાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે આ તકને જવા દેવા માંગતા નથી.

જગન શક્તિએ આગળ કહ્યું કે, ચંદ્રયાન 3 ફિલ્મમાં માત્ર મિશન મંગલની ટીમને જ કાસ્ટ કરશે. તેમણે કહ્યું કે, હું મિશન મંગલની ટીમ સાથે ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવીશ. જો કે આ ફિલ્મમાં કોણ શું ભૂમિકા ભજવશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સાથે જ તેમણે ફિલ્મમાં અક્ષય કુમારના કામ વિશે કોઈ માહિતી આપી નથી.
જણાવી દઈએ કે, 2019માં રિલીઝ થયેલી ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલહરી, નીતિ મેનન અને શરમન જોશી જેવા સ્ટાર જોવા મળ્યા હતા. હવે જગન શક્તિની આ જાહેરાત બાદ તે અક્ષય કુમારને કયા રોલ માટે કાસ્ટ કરે છે તે ફિલ્મને લઈને સમાચાર આવશે ત્યારે જ ખબર પડશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
