Chandrayaan 3 ફિલ્મ બનાવવાની જાહેરાત, મિશન મંગલના ડિરેક્ટર ફિલ્મ બનાવશે
એક તરફ ચંદ્રયાન 3ની સફળતાની દુનિયાભરમાં ઉજણવી થઈ રહી છે ત્યારે બોલિવૂડમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. મિશન મંગલ બનાવનારા ડિરેક્ટરે ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, બહુ જલ્દી સિનેમાઘરોમાં ચંદ્રયાન 3 ની સફળતાની કહાની મોટા પડદે જોવા મળી શકે છે. આ જાણકારી ફિલ્મ મિશન મંગલ બનાવનારા જગન શક્તિએ આપી છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે ચંદ્રયાનની સફળતા પર ખુશી વ્યક્ત કરતા આ વાતના સંકેત આપ્યા છે. ફિલ્મ બનાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે આ તકને જવા દેવા માંગતા નથી.

જગન શક્તિએ આગળ કહ્યું કે, ચંદ્રયાન 3 ફિલ્મમાં માત્ર મિશન મંગલની ટીમને જ કાસ્ટ કરશે. તેમણે કહ્યું કે, હું મિશન મંગલની ટીમ સાથે ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવીશ. જો કે આ ફિલ્મમાં કોણ શું ભૂમિકા ભજવશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સાથે જ તેમણે ફિલ્મમાં અક્ષય કુમારના કામ વિશે કોઈ માહિતી આપી નથી.
જણાવી દઈએ કે, 2019માં રિલીઝ થયેલી ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલહરી, નીતિ મેનન અને શરમન જોશી જેવા સ્ટાર જોવા મળ્યા હતા. હવે જગન શક્તિની આ જાહેરાત બાદ તે અક્ષય કુમારને કયા રોલ માટે કાસ્ટ કરે છે તે ફિલ્મને લઈને સમાચાર આવશે ત્યારે જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
