મારી મર્યાદાઓ છે અને મને ઇનકાર કરતાં આવડે છે : ચિત્રાંગદા
મુંબઈ, 1 જાન્યુઆરી : ચિત્રાંગદા સિંહ ભલે બૉલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં ગણાતાં હોય, પરંતુ હકીકત તો એ છે કે ચિત્રાંગદા સિંહે પોતાના માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરી રાખી છે. તેઓ બોલ્ડ સીન્સ કરતી વખતે પોતાની મર્યાદાઓમાં રહીને જ એક્ટિંગ કરે છે. ચિત્રાંગદા ગત વર્ષે રિલીઝ થયેલ જોકર ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડ્યા હતાં અને હવે ટુંકમાં જ તેઓ અર્જુન રામપાલ સાથે ઇનકાર ફિલ્મમાં દેખા દેનાર છે. ચિત્રાંગદાએ જણાવ્યું કે કોઈ પણ ફિલ્મ માટે બોલ્ડ દૃશ્ય ફિલ્માવતી વખતે તેઓ ધ્યાન રાખે છે કે તેમને ક્યાં-શું કહેવું છે.

ઇનકાર ફિલ્મમાં અર્જુન અને ચિત્રાંગદા મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ ઑફિસમાં મહિલા કર્મચારીઓ સાથે થતા જાતીય શોષણ પર આધારિત છે. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ અને અર્જુન રામપાલ વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ ફિલ્માવાયાં છે અને કહેવાય છે કે આ બોલ્ડ સીન્સ એટલા બધા ઉત્તેજક છે કે પોતે ફિલ્મ દિગ્દર્શક પણ તે જોયા બાદ આશ્ચર્ય પામ્યાં. આ દૃશ્યો અંગે ચિત્રાંગદા સિંહે જણાવ્યું - બોલ્ડ દૃશ્યોના શુટિંગમાં જ્યાં સુધી હું સહ-કલાકાર અને દિગ્દર્શકનો સહકાર અનુભવું, ત્યાં સુધી કામ કરતી રહુ છું. મારી મર્યાદાઓ છે અને હું ઇનકાર કરતા જાણુ છું.
ફિલ્મોમાં આયટમ સૉંગ અંગે ચિત્રાંગદાએ જણાવ્યું કે તેઓ આયટમ સૉંગ કરવામાં પણ ખૂબ સહજતા અનુભવે છે. તેમને આયટમ સૉંગ કરવા સામે કોઈ વાંધો નથી અને તેઓ કાયમ સારી ફિલ્મોમાં આયટમ સૉંગ કરતાં રહેશે. ઇનકાર ફિલ્મના હીરો અર્જુન રામપાલ અંગે તેમનું જણાવવું છે કે અર્જુને આ ફિલ્મમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ચિત્રાંગદા આ અગાઉ કહી ચુક્યાં છે કે તેઓ પોતાની રીયલ લાઇફમાં પણ જાતીય શોષણના ભોગ બની ચુક્યાં છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
