કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવનુ નિધન, હાર્ટ એટેક પછી ન આવી શક્યા ભાનમાં
દેશના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનુ 58 વર્ષની વયે નિધન થયુ છે.
નવી દિલ્લીઃ દેશના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનુ 58 વર્ષની વયે નિધન થયુ છે. તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતાં દિલ્લીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુને ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ 10 ઓગસ્ટના રોજ બપોરે જીમમાં ટ્રેડમિલ પર વોક કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ અચાનક બેહોશ થઈ ગયા હતા.
આ પછી તેમને તરત જ દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોએ જણાવ્યુ કે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. તેમની એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમના પરિવારે આજે સવારે તેમના મૃત્યુની જાહેરાત કરી છે.
Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.
— ANI (@ANI) September 21, 2022
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.
(File Pic) pic.twitter.com/kJqPvOskb5