અનન્યા કોઈની સાથે પોતાનુ જમવાનુ શેર નથી કરતીઃ દીપિકા પાદુકોણનો ખુલાસો
નિર્દેશક શકુન બત્રા અને દીપિકાએ અનન્યા વિશે રસપ્રદ ખુલાસો કર્યો.
મુંબઈઃ અનન્યા પાંડે, દીપિકા પાદુકોણ, ધૈર્ય કારવા, શકુન બત્રા અને સિદ્ધાંત ચતુર્વેદી હાલમાં પોતાની ફિલ્મ 'ગહરાઈયાં'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને મળેલા સારા રિસ્પૉન્સથી બધા ખુશ છે. ફિલ્મને લઈને તો આ લોકો વાત કરી જ રહ્યા છે પરંતુ એકબીજા વિશે પણ ઘણા ખુલાસા કરી રહ્યા છે. નિર્દેશક શકુન બત્રા અને દીપિકાએ અનન્યા વિશે રસપ્રદ ખુલાસા કરીને જણાવ્યુ છે કે તે ક્યારેય પોતાનુ જમવાનુ શેર નથી કરતી.

અનન્યાએ પોતાના ટિફિનમાંથી કંઈ પણ ના આપ્યુ
શકુન અને દીપિકાએ સાઈરસ ભરુચાને તેના શો સાઈરસમાં કહ્યુ કે અનન્યા કોઈની સાથે પોતાનુ જમવાનુ શેર નથી કરતી. એક વારઅમે એના ઘરે ગયા તો તે ખીમા પાવ જમી રહી હતી પરંતુ તેણે પૂછ્યુ પણ નહિ. આના પર શકુને કહ્યુ કે તેને અનન્યાએ ખીમા પાવમાંથી થોડા વટાણાના દાણા આપ્યા હતા. આના પર દીપિકાએ કહ્યુ કે કમસે કમ તેમને એટલે તો મળ્યુ. અમને તો વટાણા પણ ના મળ્યા.

શું છે સમગ્ર મામલો
દીપિકાએ અનન્યાનુ જમવાનુ શેર ન કરવાનો આખો કિસ્સો જણાવતા કહ્યુ કે થોડા દિવસ પહેલા અમે અનન્યાના ઘરે પહોંચી ગયા હતા. તેણે કહ્યુ હતુ કે તે રાતના જમવાના ખીમા પાવ ખાઈ રહી છે. અમે કહ્યુ કે અમે આવી રહ્યા છે તો તેણે કહ્યુ કે તમે લોકો આવો પરંતુ તમારા બધાના માટે ઘરમાં પાવ નથી. થોડી વાર રાહ જોવી પડશે. દીપિકાએ આગળ કહ્યુ કે અમે અનન્યાના ઘરે 40 મિનિટ સુધી રાહ જોઈ, જે અમે ઑર્ડર કર્યુ હતુ. આ દરમિયાન તે પોતાનુ ખીમા પાવ ખાતી રહી અને કોઈને પૂછ્યુ પણ નહિ. આના પર અનન્યાએ શકુનને ઈશારો કરીને કહ્યુ કે મે એમને તો 2-3 વટાણા આપ્યા હતા.

ગયા સપ્તાહે રિલીઝ થઈ છે દીપિકા-અનન્યાની ફિલ્મ ગહરાઈયાં
દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવાની મુખ્ય ભૂમિકાઓવાળી ફિલ્મ ગહરાઈયાં ગયા શુક્રવારે(11 ફેબ્રુઆરી)એ રિલીઝ થઈ છે. ફિલ્મના નિર્દેશક શકુન બત્રા છે. આ ફિલ્મની ઘણી ચર્ચા છે. ખાસ કરીને દીપિકા અને સિદ્ધાંત ચતુર્વેદીના બોલ્ડ સીન પર ઘણી વાતો થઈ રહી છે. ફિલ્મ સમીક્ષકોએ મિશ્ર રિવ્યુ આપ્યા છે.












Click it and Unblock the Notifications
