દિગ્દર્શક સુનીલ અગ્નિહોત્રીના પત્નીનો આપઘાત

તાજેતરમાં જ દેવાનંદ, રાજેશ ખન્ના, યશ ચોપરા અને છેલ્લે જસપાલ ભટ્ટી જેવી જાણીતી હસ્તીઓની વિદાયથી શોકગ્રસ્ત બૉલીવુડ માટે આ બનાવ વધુ એક આંચકા સમાન છે.
જે માહિતી મળી છે તેના મુજબ અંજલિ અગ્નિહોત્રીએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી. જેના પગલે તેમનું મોત થઈ ગયું. કહેવાય છે કે અંજલિ ઘણાં વખતથી માનસિક રીતે પરેશાન હતાં. તેમના બેડરૂમમાં એક સુસાઇડ નોટ મળી છે. તેમાં તેમણે લખ્યું છે કે તેમના મોત માટે તેઓ પોતે જવાબદાર છે. હાલ પોલીસે શબનો કબ્જો લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું છે.
નોંધનીય છે કે સુનીલ અગ્નિહોત્રી દૂરદર્શન ઉપર પ્રસારિત થયેલ પ્રસિદ્ધ શ્રેણી ચંદ્રકાંતા માટે ખૂબ જ જાણીતાં થયા હતાં. અંજલિને મૃત હાલતમાં સૌ પ્રથમ તેમના પુત્રે જોયું. હાલ પોલીસને હજીય કેટલીક વાતો ખુંચી રહી છે. પરંતુ મીડિયામાં અત્યાર સુધી કઈંજ કહેવાયું નથી.












Click it and Unblock the Notifications
