સુશાંત કેસનો ચોથો દિવસઃ 8 સવાલો, રિયા પર ધરપકડની તલવાર, જાણો બધી ડિટેલ
સુશાંત કેસનો ચોથો દિવસઃ 8 સવાલો, રિયા પર ધરપકડની તલવાર, જાણો બધી ડિટેલ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ પહેલા જ દિવસથી તેજ ગતિથિ તપાસ શરૂ કરી દીધી છે. જ્યાં બે વખત સુશાંતના ઘરે ક્રાઈમ રિક્રિએટ કર્યો. જ્યારે સિદ્ધાર્થ પિઠાની, દીપક સાવંત અને નીરજ સાથે 10 કલાકથી વધુની પુછપરછ કરવામાં આવી. આ દરમિયાન સોમવારે સીબીઆઈની ટીમ ફરી એકવાર એક્શનમાં જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સીબીઆઈ આજે રિયા ચક્રવર્તી પર શિકંજો કરી શકે છે. રિયા ચક્રવર્તીથી સુશાંતના સંબંધ અને 8 જૂન સુધી સંપૂર્ણ કહાનીને સીબીઆઈ પોતાના રિપોર્ટમાં દાખલ કરશે. તમને યાદ અપાવી દઈએ કે સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે. સુશાંતના પિતા કેકે સિંહે રિયા વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
રિયાની પૂછપરછ થશે
એ કેસના આધાર પર જ સીબીઆઈ તપાસ કરી રહી છે. અગાઉ સીબીઆઈએ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં સિદ્ધાર્થ પિઠાની અને નીરજને રિયા ચક્રવર્તીનુ ઘર છોડીને જવા અને સુશાતના અને તેના સંબંધ વિશે પૂછપરછ કરી છે. જણાવવામા આવી રહ્યું છે કે સીબીઆઈ રિયા સમક્ષ 10 એવા મુશ્કેલ સવાલ રાખશે જેનાથી રિયાની ધરપકડ થવાના ચાન્સ જણાવવામા આવી રહ્યા છે.
બેક ટૂ બેક રિયાને કેટલાય સવાલો પૂછાશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ સીબીઆઈ માલૂમ કરવાની કોશિશ કરશે કે આખરી દિવસોમાં રિયા અને સુશાત વચ્ચે શું મતભેદ રહ્યો. સુશાંતના પરિવાર સાથે રિયાના કેવા સંબંધ રહ્યા. આવી રીતે બીમારીની હાલતમાં સુશાંતને એકલો છોડી રિયા કેવી રીતે અને શા માટે ચાલી ગઈ.
8 જૂન પહેલા સુશાંતની હાલત
રિયાની કોલ ડિટેલ્સ અને પરિવારના બધા આોપો પર સીબીઆઈ રિયાને સવાલ કરશે. 8 જૂનથી પહેલા સુશાંતની માનસિક હાલાત અને રિયાના પિતા અને ભાઈની પણ સીબીઆઈ પૂછપરછ કરશે.
સુશાંત કેસમાં CBIએ રિયા અને તેના પિતાને મોકલ્યા સમન, પરિવારે આપ્યો આ જવાબ
પૈસાની લેણદેણ પર પણ પૂછપરછ થશે
રિયાના ઘરેથી ચાલ્યા ગયા બાદ સુશાંત અને તેની બહેન વચ્ચેની વાત પર પણ રિયાની પૂછપરછ થઈ શકે છે. આની સાથે જ રિયા પર પૈસાની લેણદેણનો આરોપ છે તેના પર પણ સીબીઆઈ પૂછપરછ કરશે.
સુશાંતની દવા અને ડૉક્ટર
સુશાંતની દવા, ડૉક્ટરની ડિટેલ અને તેની માનસિક હાલાત જેને ડિપ્રેશન કહેવામાં આવી રહ્યુ છે તેના પર પણ રિયા સાથે પૂછપરછ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ પિઠાની અને નીરજ, દીપેશ સાવંતની જેમ રિયાની પણ સતત બે-ત્રણ દિવસ સુધી પૂછપરછ થઈ શકે છે.
ત્રણેયના નિવેદનમાં ઘણો તફાવત
જણાવી દઈએ કે સીબીઆઈની પૂછપરછની રીતથી ઘણીય માહિતી સામે આવી છે. જેમાં સિદ્ધાર્થ પિઠાની, દીપેશ સાવંત અને નીરજના નિવેદનમાં સમાનતા નથી મળી રહી.
રવિવારે આવી રીતે પૂછપરછ થઈ
મળેલી જાણકારી મુજબ પહેલા સિદ્ધાર્થ, નીરજને આમને સામને બેસાડી પૂછપરછ કરવામાં આવી. પછી નીરજ અને દીપેશને બેસાડી પૂછપરછ કરવામાં આવી. જે બાદ ફરીથી સિદ્ધાર્થ પીઠાની અને દીપેશને બેસાડી વાત કરવામાં આવી. તમામના નિવેદન એક બીજાથી અલગ મળ્યાં.
સુશાંતના ફ્લેટના માલિકની પણ પૂછપરછ થઈ
આ તમામની સાથે સુશાંતના ફ્લેટ માલિક સંજય લાલવાની સાથે પણ સીબીઆઈએ પૂછપરછ કરી. સુશાંતે 3 વર્ષ માટે આ ફ્લેટ લીધો હતો. જેનું દર મહિનાનું ભાડું 4.50 લાખ રૂપિયા હતું.