વિવેક અગ્નિહોત્રીએ બોલિવૂડના જુઠાણા પરથી ઉઠાવ્યો પર્દો
બોલીવૂડની ફિલ્મો લગાતાર બોક્સ ઓફિસ પર ફ્લોપ જઇ રહી છે. મેકર્સ અને પ્રોડ્યુસર્સ ફિલ્મની અસફળતાનું કારણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ હોવાનું જણાવી રહ્યા છે. અને લોકોને ફિલ્મોનો બહિસ્કાર ન કરવાની અપિલ કરી રહી
બોલીવૂડની ફિલ્મો લગાતાર બોક્સ ઓફિસ પર ફ્લોપ જઇ રહી છે. મેકર્સ અને પ્રોડ્યુસર્સ ફિલ્મની અસફળતાનું કારણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ હોવાનું જણાવી રહ્યા છે. અને લોકોને ફિલ્મોનો બહિસ્કાર ન કરવાની અપિલ કરી રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન દરમિયાન કહી રહી છે કે, બોયકોટ ટ્રેન્ડના લીધે ફિલ્મો બોક્સ ઓફિસ પર નથી ચાલી રહી જેના લીધે કેમરામેથી લઇને મેકઅપ આર્ટિસ સહિતના ક્રુ મેમ્બર્સની કમાણી પ્રભાવિત થઇ રહી છે. બોલીવૂડ સ્ટાર્સના આ જૂઠાણા પર થી પર્દો ઉઠાવતા વિવેક અગ્નીહોત્રીએ પોતાના સોશીયલ મીડિયા અકાઉન્ટ્સ પર ટ્વીટ કર્યુ હતુ.
વિવેક અગ્નિહોત્રીએ લઘ્યું હતુ કે, તમે અંહી ખોટા સામિત થાવ છો. કોઇ ફિલ્મ ફ્લપો જવાથી ફક્ત અભિનેતા અને નિર્માતા પ્રભાવિત થાય છે. કેમરામેન, મેકઅપ આર્ટિસ્ટ જેવા ક્રુ મેમ્બર્સને તેમનું વેતન મળે છે. તેમને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનથી કોઇ ફર્ક નથી પડતો. આ તો એ જ વાત થઇ કે ગાંધી વંશ હારે છે તો ખેડૂત અને મજદુર પણ હારી જાય છે.