રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઇને અફવાહમાં નહી આવા પરીવારની અપિલ
કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને લઇને બોલિવૂડથી લઇને તેના ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. રાજુ શ્રીવાસ્તવના પરિવાર અને તેના ખાસ દોસ્ત સતત તેના પર તમામ પ્રકારની માહિતી આપી રહ્યા છે. ત્યારે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિ
કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને લઇને બોલિવૂડથી લઇને તેના ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. રાજુ શ્રીવાસ્તવના પરિવાર અને તેના ખાસ દોસ્ત સતત તેના પર તમામ પ્રકારની માહિતી આપી રહ્યા છે. ત્યારે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ફેન્સને ચિંતામાં મુકે તેવી અપડેટ આપી છે.
રાજુ શ્રીવાસ્તવ હજી આઇસીયુમાં
એમ્સના નિર્દેશક રણદિપ ગુલેરિયા અનુસાર, રાજુ શ્રીવાસ્તવ હજી પણ આઇસીયુમાં છે. કેમ કે લાખો લોકો તેના સ્વાસ્થમાં સુધારો થાય તેની પ્રાથના કરી રહ્યા છે. નિર્દેશક વધુમાં કઇ પણ માહિતી આપવાનો ઇન્કાર કરી દિધો હતો. અને કહ્યુ હતુ કે, આ એક વ્યક્તિગત મામલો છે. કાલે રાજુના નાના ભાિ દિપુ શ્રીવાસ્તવે ચાહકોને જણાવ્યું હતુ કે, તેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.
રાજુના ભાઇએ ખોટી અફવાહો નહી ફેલાવા માટે સલાહ આપી હતી
આ પહેલા રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઇને ખોટી અફવાહ વચ્ચે તેના ભાઇ દીપુ શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, રાજુની તબિયત કેવી છે. તેણે જણાવ્યું હતુ કે, રાજુના શરીરમાં જે ઇંફેક્શન થયુ હતુ તે હવે ધીરે ધીરે ઓછુ થઇ રહ્યુ છે. તેની સાથે જ તેણે એ પણ કહ્યુ કે પરીવારે તેની સારી તબિયત માટે પુજા પણ કરી છે.
રાજુ શ્રીવાસ્તની તબિયતને લઇને અફવાહ ફેલાઇ
રાજુ શ્રીવાસ્તની તબિયતને લઇને છેલ્લા થોડ દિવસોથી ઘણી અફવાહ ફેલાઇ રહી છે. કોઇ કોમેડીયનના બ્રેન ડેડ થઇ ગયુ હોવાની વાત કરે છે તો કઇ તેની તબિયત લગાતાર બગડી રહી હોવાની વાત કરી રહ્યા છે. આ તમામ અફવાહ પર પૂર્ણવિરામ મુક્તા પરિવાર દ્વારા એક નિવેદન બહાર પાડ્યુ હતુ.