જોડિયા બાળકોને જન્મ આપશે આલિયા, ડિલિવરી પછી તરત કરશે આ કામ
ગુંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટએ આ વર્ષે એપ્રીલ મહિનામાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ તેણે જાહેર કર્યું હતું કે, તે પ્રેગ્નેન્ટ છે.
ગુંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટએ આ વર્ષે એપ્રીલ મહિનામાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ તેણે જાહેર કર્યું હતું કે, તે પ્રેગ્નેન્ટ છે. તેણે પ્રેગ્નેન્સીમાં પણ તેણે સારૂ એવું કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે, તે આવતા મહિને જોડિવા બાળકોને જન્મ આપશે. આ સાથે એવું પણ જાણવામાં આવ્યું છે કે, ડિલિવરી બાદ આલિયા ભટ્ટ શું કરવાની છે?
આલિયા ડિલિવરી પછી તરત જ કરશે આ કામ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ ડિલિવરી બાદ જલ્દી જ કામ પર પાછા જવાની છે, જ્યારે તેના પતિ અભિનેતા રણબીરકપૂર કામમાંથી બ્રેક લેશે.
ઉલ્લેખનીય છે કે, ઘણા ઇન્ટરવ્યુમાં રણબીરે ન તો કહ્યું છે કે, તે અત્યારે કોઈ પ્રોજેક્ટ લઈ રહ્યો નથી અને તેનું સંપૂર્ણ ધ્યાન તેના ભાવિબાળક પર છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર ઈચ્છે છે કે આલિયા ડિલિવરી પછી જલ્દી જ કામ પર પરત ફરે અને તે ઘરેરહીને તેના બાળકની સંભાળ રાખે.
જોડિયા બાળકોને જન્મ આપશે કપૂર પરિવારની વહુ!
શમશેરા ફિલ્મના પ્રમોશન દરમિયાન, રણબીર કપૂરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં તેણે બે સાચી વાત કહેવાની હતી અને એક જૂઠ પોતાના વિશે પણ તે સ્પષ્ટ ન હતું થયું કે, કઈ સાચી છે અને કઈ ખોટી.
આમાં રણબીરે પહેલી વાત કહી હતી કે, તે ટ્વિન્સ બાળકોનો પિતા બનવાનો છે, બીજી વાત એ હતી કે, તે એક મોટી પૌરાણિક ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે અને ત્રીજી વાત એ હતી કે, તે કામમાંથી લાંબો બ્રેક લેવા જઈ રહ્યો છે.
ત્રીજી વાતની હવે પુષ્ટિ થઈ ગઈ છે અને આ અહેવાલને ઘણી વખત નકારી કાઢવામાં આવ્યો છે કે, આરકે રામાયણ પર બનવાની ફિલ્મનો ભાગ હશે. મતલબ કે જોડિયાની વાત સાચી છે.
ઘણા લોકોએ ગોદભરાઈમાં હાજરી આપી
તાજેતરમાં આલિયા ભટ્ટે તેના બેબી શાવરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેની પ્રેગ્નન્સી ગ્લો તેની સુંદરતામાં વધારો કરીરહી હતી. કરિશ્મા કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, નીતુ કપૂર, સોની રાઝદાન, પૂજા ભટ્ટ, કરણ જોહર, શાહીન ભટ્ટ અને અયાન મુખર્જી સહિત ઘણા લોકોએ ગોદભરાઈ (શ્રીમન)માં હાજરી આપી હતી.