સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહની ખુરશી ખતરામાં! લોકોએ લીધી મજા
2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં નવજોત સિંહ સિદ્ધુને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે મુકાબલો માનવામાં આવી રહ્યો હતો.
નવી દિલ્હી : 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં નવજોત સિંહ સિદ્ધુને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે મુકાબલો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જ્યોત કૌરનો વિજય થયો છે. રસપ્રદ વાત એ છે કે, સિદ્ધુની હાર બાદ અચાનક જ અર્ચના પુરણ સિંહ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગી છે.
|
અર્ચનાને તેની ખુરશીની ચિંતા છે!
અર્ચના પુરણ સિંહના ફની મીમ્સ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, સિદ્ધુની હાર બાદ અર્ચનાની ખુરશી ખતરામાં છે. લોકો વિવિધ પ્રકારના ફનીમીમ્સ શેર કરી રહ્યા છે.
ખરેખર વર્ષ 2019માં 'ધ કપિલ શર્મા શો'માં અર્ચનાની જગ્યાએ નવજોત સિંહ સિદ્ધુને લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે પુલવામા આતંકી હુમલાઅંગેના નિવેદન બાદ સિદ્ધુને કપિલના શોમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શોમાં તેનું સ્થાન અર્ચના પુરણ સિંહે લીધું હતું.
|
અર્ચના પુરણ સિંહે આ જવાબ આપ્યો
આ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ હતી, જેના પર અર્ચનાએપોતાની પ્રતિક્રિયા આપી હતી.
ETimes સાથેની વાતચીતમાં, અર્ચનાને તેના અને કપિલના શો પર બની રહેલા મીમ્સ વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું કે, મને વર્ષોથી આવા જોક્સનો શિકાર બનાવવામાં આવે છે, પરંતુ મેં તેની પરવા કરી નથી અને ક્યારેય તેને ગંભીરતાથી લીધી નથી. જો સિદ્ધુ શોમાં પાછા ફરવા માગે છે, તોમારી પાસે બીજા ઘણા અસાઇનમેન્ટ છે, જે મેં છેલ્લા ઘણા મહિનાઓમાં નકારી કાઢ્યા હતા.
|
લોકોનું ખૂબ મનોરંજન કરે છે કપિલ શર્મા શો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી 'ધ કપિલ શર્મા શો' લોકોનું મનોરંજન કરી રહ્યો છે. કપિલ શર્મા આ શોને હોસ્ટ કરે છે. આવા સમયે, કૃષ્ણા અભિષેક, સુમોનાચક્રવર્તી, ચંદન પ્રભાકર, કીકુ શારદા અને સુદેશ લહેરી જેવા સ્ટાર્સ જુદા જુદા પાત્રોમાં લોકોને હસાવતા જોવા મળે છે.
આ અગાઉ સુનીલ ગ્રોવર અને અસગર અલીપણ આ શોનો ભાગ હતા, પરંતુ કપિલ સાથેના વિવાદ બાદ તેઓએ શો છોડી દીધો હતો.