યુપીમાં બાબા રામદેવે આર્યવીર-વિરાંગના સમ્મેલનમાં બોલિવૂડના સ્ટાર્સ પર કર્યા પ્રહાર
યોગ ગુરુ બાબા રામદેવએ બોલિવૂડ શાહરૂખ ખાન, સલમાન ખાન, અને આમિર ખાનથી લઇને મોટા ભાગના કલાકારો ડ્ગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન ડ્રગ્સ કેસને લઇને પણ કટાક્ષ કર્યો હતો. બાબા રામદેવ શનિવારે ઉત્તર પ
યોગ ગુરુ બાબા રામદેવએ બોલિવૂડ શાહરૂખ ખાન, સલમાન ખાન, અને આમિર ખાનથી લઇને મોટા ભાગના કલાકારો ડ્ગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન ડ્રગ્સ કેસને લઇને પણ કટાક્ષ કર્યો હતો. બાબા રામદેવ શનિવારે ઉત્તર પ્રદેશ ના મુરાબાદમાં આર્યવીર અને વીરાંગના સમ્મેલનમાં ભાગ લેવા માટે આવી પહોચ્યા હતા. જ્યાં બાબા રામદેવે જણાવ્યું હતુ કે, ફિલ્મ જગતમાં મોટા મોટા સુપર સ્ટાર્સ ડ્રગ્સ લે છે. સલમાન ખાન પણ ડ્રગ્સ લે છે.
સલમાન ખાન ડ્રગ્સ લે છે, આમિર ખઆનની ખબર નથી
બાબા રામદેવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આરોપ લગાવોય છે. સલમાન ખાન, શાહરુખ ખાનનું ઉદાહરણ આપ્યુ હતુ. દૈનિક ભાસ્કરની રિપોર્ટ અનુસાર બાબ રામદેવે લોકોને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, શાહરુખ ખાનનો દિકરો આર્યન ખાન ડ્રગ્સ લેવાના આરોપમાં પકડાયો હતો. અને જેલની હવા ખાઇને આવ્યો છે. સલમાન ખાન પણ ડ્રગ્સ લે છે. આમિર ખાન લે છે કે નહી તેની ખબર નથી. બોલિવૂડ આજે ડ્રગ્સના ચુંગલમાં ફસાયો છે.
અભિનેત્રીઓનો તો ભગવાન માલિક
બાબા રામદેવે કહ્યુ હતુ ક, અભિનેત્રીઓનો તો ભગવાન માલિક છે. બાબાએ કહ્યુ કે, ખબર નહી કેટલા મોટા મોટા સ્ટાર્સ આને લે છે. અભિનેત્રીઓનો તો ભગાવાન જ માલિક છે. ચારો તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ છે. બોલિવૂડમાં ડ્ર્ગ્સ છે. બોલિવૂડમાં ડ્રગ્સ પોલિટિક્સ થાય છે. આપણે એક સંકલ્પ એ પણ લેવો જોઇએ કે, આ ઋષિઓની ભૂમિને નશા મુક્ત કરવી છે.
નશા મુક્ત આંદોલન ચલાવાની બાબાએ કરી વાત
આર્યવીર મહા સમ્મેલનમાં ભાગ લેવા મુરાદાબાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોચ્યા હતા. સીએમ યોગી બાદ ઠીક તે જ જગ્યાએ બાબા રામ દેવનું સમેલન થયુ હતુ. મુરાદાબાદમાં બાબા રામદેવે મંચ પરથી નશા મુક્તીને લઇને લોકોને જાગરુક્તા થવાની વાત કરી હતી. બાબએ કહ્યુ કે, સમાજને બચાવા માટે નશા મુક્તનું આંદોલન ચલાવુ પડશે.
આપણે કોઇએ બીડી, સિગરેટ કે દારુ ના પીવો
બાબા રામદેવે મંચ પરથી અપિલ કરતા કહ્યુ હતુ કે, આપણને જો કોઇ આપણી આજુબાજુમાં કોઇ પણ બીડી, સિગરેટ કે દારુ પિતા જોવા મળે તો તને આર્યસમાજે કામ કર્યુ છે અને જે કામ કરી રહ્યા છે તેની સોથી વધારે જરૂર છે. સમાજ નશામુક્ત થઇ જશે તો દયાનંદજીનું સમપનુ સાકાર થઇ જશે. આ કામ કાયદાથી નહી થાય પણ આપણે જાતે જ પગલા લેવા પડશે.