For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રજનીકાંતના દીકરી-જમાઇ નહીં લે છૂટાછેડા, પરિવારને કારણે લીધો નિર્ણય

સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર ધનુષ પોતાની શાનદાર એક્ટિંગ સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ હેડલાઇન્સમાં રહે છે, ઉલ્લેખનીય બાબત છે કે, એક્ટર ધનુષે પોતાની પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડાનો નિર્ણય કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 04 ઓકટોબર : સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર ધનુષ પોતાની શાનદાર એક્ટિંગ સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ હેડલાઇન્સમાં રહે છે, ઉલ્લેખનીય બાબત છે કે, એક્ટર ધનુષે પોતાની પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ખુદ ધનુષ અને એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

આ સાથે સાથે બન્નેએ લોકોને અપીલ કરી હતી કે તેમની પ્રાઇવસીનું સમ્માન પણ કર્યું હતું. બન્નેના અલગ થવાની ખબર જાણીને ફેન્સ ચોંકી ગયા હતા. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ધનુષ અને એશ્વર્યા પોતાના સંબંધને એક તક આપશે. આ સાથે તેમણે છૂટાછેડાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

સમાધાન કરી રહ્યા છે પરિવારના સભ્યો

સમાધાન કરી રહ્યા છે પરિવારના સભ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનુષ અને ઐશ્વર્યાના પરિવારજનોએ સાથે મળીને બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના લોકોનું જણાવવું છે કે, બંનેએ છૂટાછેડાનો કેસ હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. બંને તેમના સંબંધોને વધુ એક તક આપવા માગે છે.

રજનીકાંતે કરી દીકરી-જમાઈ સાથે વાત

રજનીકાંતે કરી દીકરી-જમાઈ સાથે વાત

નોંધનીય બાબત છે કે, સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેના પતિ ધનુષે ગત જાન્યુઆરીમાં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

હવે સમાચાર છે કે, બંને છૂટાછેડાના કેસ પર પુનર્વિચાર કરી રહ્યા છે. આ મામલે બંને અલગ અલગ વિચારી રહ્યા છે.

ટોલીવુડ ડોટ નેટના અહેવાલ મુજબ, બંને તેમના છૂટાછેડાની કાર્યવાહી અટકાવી રહ્યા છે. આ સાથે જ બંને પોતાની અંગત સમસ્યાઓનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ધનુષે દર્શાવ્યો પરિવારના સભ્યો પ્રત્યે આદર

ધનુષે દર્શાવ્યો પરિવારના સભ્યો પ્રત્યે આદર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનુષ અને ઐશ્વર્યાના પરિવારના સભ્યોએ રજનીકાંતના ઘરે બેસીને આ વિશે વાત કરી છે. અહીં નક્કી કરવામાં આવ્યું હતું કે, બંને વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે, તેને સાથે મળીને ઉકેલવામાં આવે. બંને વડીલોના માનમાં સકારાત્મક નિર્ણય લેવાનો પ્રયાસ કરશે.

English summary
Rajinikanths daughter and son in law will not divorce, decision taken because of family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X