રાની મુખર્જીએ ખોલી એશ્વર્યાની પોલ, શુટિંગ પર કર્યો હતો આવો કાંડ
Aishwarya Rai, Rani Mukerji: બોલીવુડમાં લડાઈ-ઝગડા પણ થતા રહે છે. જેમાં શાહરૂખ-સલમાન હોય કે સલમાન-વિવેક તમામ મોટા ઝગડાઓએ ફેન્સનું ધ્યાન ખેંચે છે. એક્ટર સાથે સાથે એક્ટ્રેસ પણ ઝગડાના કારણે લાઈમલાઈટમાં રહે છે.
ઘણા સેલેબ્સ એકબીજાને જોવાનું પસંદ કરતા નથી. જોકે, દોસ્તી તૂટવી અને દોસ્તી થવી બોલીવુડમાં સામાન્યા બાબત છે. બોલીવુડમાં ઘણા સ્ટાર્સ એવા છે કે, જેઓ એક સમયે પાક્કા મિત્રો માનવામાં આવતા હતા. પણ હવે તેઓ એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી.
પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય અને અભિનેત્રી રાની મુખર્જી એક સમયે ખૂબ જ સારા મિત્રો હતા. ઉલ્લેખનીય છે કે, અચાનક જ રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય વચ્ચેના આ સારા સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી, અને વર્ષો પછી પણ બંને વચ્ચે સમાધાન થયું નથી.
રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય બંને બોલીવુડની મહાન અભિનેત્રીઓ છે. તેઓએ ઘણી ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે. જોકે રાની અને ઐશ્વર્યા વચ્ચે ક્યારેય કોઈ પ્રકારની દુશ્મનાવટ ન હતી, પરંતુ કેટલાક કારણોસર બંને વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગઈ હતી અને તે સમયે તેની ખૂબ ચર્ચા પણ થઈ હતી.

રાની મુખર્જીએ પણ પુષ્ટિ કરી હતી કે, ઐશ્વર્યા રાયને તેની સાથે સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચેના સંબંધોમાં કડવાશનું કારણ બોલીવુડના બે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન હતા.
ઐશ્વર્યા રાયને સૌથી પહેલા રાની મુખર્જીની જગ્યાએ ચલતે ચલતે ફિલ્મમાં લેવામાં આવી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરવાની હતી.
આવા સમયે શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સારા ન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક દિવસ સલમાન ખાને ફિલ્મના સેટ પર એક મોટો સીન ક્રિએટ હતો.
આ પછી શાહરુખ ખાને, જે ફિલ્મના નિર્માતાઓમાંના એક હતા, તેણે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ઐશ્વર્યા રાયની જગ્યાએ રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાંથી હટાવવાથી ઐશ્વર્યા રાય ચોંકી ગઈ હતી.
ઐશ્વર્યા રાય વધુ દુખી ત્યારે થઈ જ્યારે તેને ખબર પડી કે તેની જગ્યાએ તેની મિત્ર રાની મુખર્જીને આ ફિલ્મમાં લેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યાને લાગ્યું કે, તેની મિત્ર રાનીએ તેની સાથે છેતરપિંડી કરી છે.
આ પછી સમાચાર આવ્યા કે રાની અને ઐશ્વર્યા વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે, જ્યારે અભિનેત્રી રાની મુખર્જી બોલીવુડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરના ફેમસ ચેટ શો કોફી વિથ કરણ વિથ કરીના કપૂરમાં પહોંચી હતી, ત્યારે તેણે ઐશ્વર્યા રાય સાથેના પોતાના કોલ્ડ વોર વિશે ખુલીને વાત કરી હતી.
શોમાં રાની મુખર્જીએ જણાવ્યું હતું કે, મને કોઈની સાથે કોઈ વાંધો નથી અને હું હજૂ પણ ઐશ્વર્યા રાયને પસંદ કરું છું. મને ઐશ્વર્યા સાથે કોઈ અંગત સમસ્યા નથી. મને લાગે છે કે, એશને કોઈ સમસ્યા હોઈ શકે છે. કારણ કે, તેમણે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું છે અને હું તેને સામાજિક રીતે ક્યાંય મળ્યો નથી. ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીની મિત્રતામાં તિરાડને 21 વર્ષ થઈ ગયા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
