રાની મુખર્જીએ ખોલી એશ્વર્યાની પોલ, શુટિંગ પર કર્યો હતો આવો કાંડ
Aishwarya Rai, Rani Mukerji: બોલીવુડમાં લડાઈ-ઝગડા પણ થતા રહે છે. જેમાં શાહરૂખ-સલમાન હોય કે સલમાન-વિવેક તમામ મોટા ઝગડાઓએ ફેન્સનું ધ્યાન ખેંચે છે. એક્ટર સાથે સાથે એક્ટ્રેસ પણ ઝગડાના કારણે લાઈમલાઈટમાં રહે છે.
ઘણા સેલેબ્સ એકબીજાને જોવાનું પસંદ કરતા નથી. જોકે, દોસ્તી તૂટવી અને દોસ્તી થવી બોલીવુડમાં સામાન્યા બાબત છે. બોલીવુડમાં ઘણા સ્ટાર્સ એવા છે કે, જેઓ એક સમયે પાક્કા મિત્રો માનવામાં આવતા હતા. પણ હવે તેઓ એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી.
પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય અને અભિનેત્રી રાની મુખર્જી એક સમયે ખૂબ જ સારા મિત્રો હતા. ઉલ્લેખનીય છે કે, અચાનક જ રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય વચ્ચેના આ સારા સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી, અને વર્ષો પછી પણ બંને વચ્ચે સમાધાન થયું નથી.
રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય બંને બોલીવુડની મહાન અભિનેત્રીઓ છે. તેઓએ ઘણી ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે. જોકે રાની અને ઐશ્વર્યા વચ્ચે ક્યારેય કોઈ પ્રકારની દુશ્મનાવટ ન હતી, પરંતુ કેટલાક કારણોસર બંને વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગઈ હતી અને તે સમયે તેની ખૂબ ચર્ચા પણ થઈ હતી.

રાની મુખર્જીએ પણ પુષ્ટિ કરી હતી કે, ઐશ્વર્યા રાયને તેની સાથે સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચેના સંબંધોમાં કડવાશનું કારણ બોલીવુડના બે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન હતા.
ઐશ્વર્યા રાયને સૌથી પહેલા રાની મુખર્જીની જગ્યાએ ચલતે ચલતે ફિલ્મમાં લેવામાં આવી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરવાની હતી.
આવા સમયે શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સારા ન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક દિવસ સલમાન ખાને ફિલ્મના સેટ પર એક મોટો સીન ક્રિએટ હતો.
આ પછી શાહરુખ ખાને, જે ફિલ્મના નિર્માતાઓમાંના એક હતા, તેણે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ઐશ્વર્યા રાયની જગ્યાએ રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાંથી હટાવવાથી ઐશ્વર્યા રાય ચોંકી ગઈ હતી.
ઐશ્વર્યા રાય વધુ દુખી ત્યારે થઈ જ્યારે તેને ખબર પડી કે તેની જગ્યાએ તેની મિત્ર રાની મુખર્જીને આ ફિલ્મમાં લેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યાને લાગ્યું કે, તેની મિત્ર રાનીએ તેની સાથે છેતરપિંડી કરી છે.
આ પછી સમાચાર આવ્યા કે રાની અને ઐશ્વર્યા વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે, જ્યારે અભિનેત્રી રાની મુખર્જી બોલીવુડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરના ફેમસ ચેટ શો કોફી વિથ કરણ વિથ કરીના કપૂરમાં પહોંચી હતી, ત્યારે તેણે ઐશ્વર્યા રાય સાથેના પોતાના કોલ્ડ વોર વિશે ખુલીને વાત કરી હતી.
શોમાં રાની મુખર્જીએ જણાવ્યું હતું કે, મને કોઈની સાથે કોઈ વાંધો નથી અને હું હજૂ પણ ઐશ્વર્યા રાયને પસંદ કરું છું. મને ઐશ્વર્યા સાથે કોઈ અંગત સમસ્યા નથી. મને લાગે છે કે, એશને કોઈ સમસ્યા હોઈ શકે છે. કારણ કે, તેમણે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું છે અને હું તેને સામાજિક રીતે ક્યાંય મળ્યો નથી. ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીની મિત્રતામાં તિરાડને 21 વર્ષ થઈ ગયા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
